Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: Gujarat Tourism
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places
Showing posts with label Gujarat Tourism. Show all posts
Showing posts with label Gujarat Tourism. Show all posts

Sunday, July 9, 2017

અમદાવાદની નીપા સિંહે જીત્યો વિશ્વ સુંદરીનો ખિતાબ

 

Miss United Nations - Neepa Singh - Gujju Girl Makes Proud
જમૈકામાં યોજાયેલી 'મિસીસ યુનાઇટેડ નેશન્સ ક્લાસિક સ્પર્ધા'માં અમદાવાદની નીપા સિંહે વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો છે. આ પહેલા નીપા સિંહે મિસિસ ઇન્ડિયા અર્થ સ્પર્ધા'માં ભાગ લીધો હતો, જેમાં તે ફર્સ્ટ રનર અપ બન્યા હતા. ગુજરાતનું ગૌરવ વધારનાર નીપા સિંહની ઉંમર 45 વર્ષની છે અને તેમને 18 વર્ષનો એક પુત્ર પણ છે.

નીપા સિંહના લગ્ન બિહારના રહેવાસી મનીષ સિંહ સાથે થયા છે અને તેમના પતિ મનીષ સિંહ સાથે અમદાવાદમાં જ રહે છે. નીપા સિંહના પિતા વિજાપુરના લાડોલ ગામના નાગર બ્રાહ્મણ છે, પણ તેઓ વર્ષો પહેલા નાગપુરમાં જઇને વસી ગયા હતા. નીપાના પિતાનું જીવન ઘણું સંઘર્ષમાં વીત્યુ છે, પણ પુત્રી નીપાનો ઉછેર તેમણે એક રાણીના જેમ કર્યો હતો.
અમદાવાદની નીપા સિંહે જીત્યો વિશ્વ સુંદરીનો ખિતાબ 



18 વર્ષની ઉંમરે નીપા સિંહે લડી હતી લડત

નીપા સિંહનો જન્મ નાગપુરમાં રહેતા મધ્યમ વર્ગના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. નીપા સિંહે આર્થિક ભીંસને કારણે તેમણે પિતાને મદદ કરવા ઓછી ઉંમરે નોકરી કરવાનું શરૂ કર્યું. તેમને વર્ષની ઉંમરે નાગપુરની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકેની કામગીરી બજાવવી પડી હતી. સ્કૂલ 8થી 10 કિલોમીટર દૂર હોવાથી સાઈકલ પર જવું પડતું હતું. ટીચરે સાડી પહેરવી ફરજિયાત હતી. પરંતુ સાડી પહેરીને સાઈકલ ચલાવવામાં તેમને તકલીફ પડતી હતી.
તેમની સાડી સાઈકલની ચેનમાં ભરાઈ જતી હતી. જેથી તેમણે કુર્તા- પાયજામા પહેરવા પરવાનગી માગી. તો સંચાલકોએ ઈન્કાર કર્યો. તે માટે તેમને લડત આપવી પડી. નીપા સિંહે સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેમની ઉંમર હજુ ૧૮ વર્ષની પણ થઈ નથી. જેથી તે 8 થી 10 કિલોમીટર સાડી પહેરીને સાઈકલ ચલાવી ન શકે. સ્કૂલના બીજા શિક્ષકો પેન્ટ-શર્ટ કે જીન્સ પહેરીને આવે છે.
તેમને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમે ધોતી-ઝભ્ભો પહેરવાનું કેમ કહેતા નથી ? પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે આવો ભેદભાવ શા માટે ? મને સલવાર-કૂર્તો પહેરવાની પરવાનગી નહીં મળે તો હું રાજીનામું આપી દઈશ. નાની ઉંમરે મારી આ મક્કમ દલીલો બાદ તેમની જીત થઇ અને તેમને કુર્તા પાયજામા પહેરવા પરવાનગી મળી. 
'પતિના સપોર્ટ વગર હું માત્ર ગૃહિણી જ છું'

નીપા સિંઘ ગૃહિણી છે, પણ સપના સાકાર કરવાની જીદ તેને અહીં સુધી પહોંચાડ્યા છે. નીપા સિંઘ સફળતાનો શ્રેય પતિને આપતાં જણાવે છે, મારો જે કામમાં રસ હોય તે કામ કરવા માટે મારા પતિ મને હંમેશા સપોર્ટ કરવાની સાથે આત્મવિશ્વાસ પૂરો પાડે છે. તેમના સપોર્ટ વગર હું માત્ર ગૃહિણી છું. જ્યારે તેના પતિનું કહેવું છે કે, મને મારી પત્ની પર ગર્વ છે. તે ખૂબ જ સરળ રીતે પોતાના કામની સાથે પરિવારની દેખરેખ રાખે છે.'








Friday, June 30, 2017

મોનસૂનમાં અહીં જોવા મળે છે અદભૂત પ્રાણીઓ, જુઓ ભાગ્યેજ જોવા મળતા PICS

મોનસૂનમાં અહીં જોવા મળે છે અદભૂત પ્રાણીઓ, જુઓ ભાગ્યેજ જોવા મળતા PICS

ગુજરાત કુદરતી સંપદાઓથી ભરેલું છે, ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિ.મીનો દરિયા કાંઠો છે અને એક પ્રવાસન સ્થળ તરીકે આ દરિયા કિનારો ઉભરી રહ્યો છે, સોમનાથ હોય, દ્વારિકા હોય, પોરબંદર હોય કે પછી જામનગર અને કચ્છ બધે જ આપણને કંઇક કંઇક કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળી રહે છે, જોકે આજે વાત એક એવા દરિયા કાંઠાની કરવાની છે, જે ગુજરાતનો સૌથી સ્વચ્છ દરિયા કાંઠો માનવામાં આવે છે. બેટ દ્વારિકા પાસે આવેલો ડન્ની પોઇન્ટ પોતાની સુંદરતા અને સ્વચ્છતાના કારણે હંમેશા પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે.  જો મોસમ એવી હોય અને કિસ્મત હોય તો આ દરિયામાં ડોલફિન જોવા મળે છે કારણ કે એ અનૂકુળ મોસમમાં જ બહાર આવે છે. 


 
ગુજરાતના અન્ય દરિયા કિનારાની સરખામણીએ સ્નાન લેવા અને સનબાથ માટે આ કાંઠો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ આ બીચ પર તમને એનેક કુદરતી સંપદાઓ પણ જોવા મળે છે. બીચની સુંદરતા અને સ્વચ્છતાના કારણે દરિયાઇ જીવો પણ આપણને સહજતાથી જોવા મળી રહે છે. દરિયાની રાણી સમાન ગણાતી ડોલફિન્સ આપણને અહી જોવા મળી જાય છે અને એટલા માટે જ અહી પ્રવાસીઓની ભીડ પણ સારી એવી જોવા મળે છે. આ સ્થળે પ્રેમની અનુભૂતિ કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે અહીનો નજારો રમણીય અને પ્રેમને વધુ ગાઢ બનાવે તેવો હોય છે.
 
 
ડન્ની પોઇન્ટ્સના આકર્ષણ અંગે વાત કરીએ તો ડોલફિન્સ, મરીન ટર્ટલ્સ, જેલી ફીશ, સી ફેધર, સી અનેમનિ, બ્રિસ્ટલ વોર્મ્સ, કોરલ્સ, મલૌસ્ક્સ, ક્રેબ્સ, સ્ટારફીશ, સી કૂકમ્બર, બાર્નકલ્ સહિતના દરિયાઇ જીવો જેવા આકર્ષણ જોવા મળે છે. ડન્ની પોઇન્ટ્સની મુલાકાત દરમિયાન ડોલફિન્સને કેમેરામાં કંડારવાની આહલાદક તક અને અનુભવ મળી રહે છે, જેને માણવાનુ પ્રવાસીઓ ક્યારેય ચૂકતા નથી. આ ઇકો ટૂરિઝમ સાઇટ્સ પર તમે અનેક પ્રકારની એક્ટિવિટી કરી શકો છો. જેમકે નેચર ગેમ્સ, કોસ્ટલ ટ્રેકિંગ, મરિન લાઇવ ઓબ્ઝર્વેશન, કેમ્પ ફાયર, લર્ન નેવિગેશન, ડોલફિન શૂટિંગ, બીચ કેમ્પિંગ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, કોરલ રીફ જોઇ શકો છો, સન સેટની મજા માણી શકો છો. જ્યારે તમે આ બીચની મુલાકાત લો ત્યારે સાથે જરૂરી ક્લોથ્સ,  લાઇટ વુલેન વીઅર, કેમેરા જેવી સામગ્રી લઇ જવાનું ન ભૂલો. ડન્ની પોઇન્ટ દ્વારિકાથી 30 કિ.મી દૂર આવેલું છે ત્યાં જવા માટે તમને અનેક ટ્રાન્સપોર્ટેશનના સાધનો મળી શકે છે.











 

Sunday, January 8, 2017

ગુજરાતનું આ હિલ્સ સ્ટેશન છે Natural Beautyથી ભરપૂર, જુઓ અદભૂત નજારો

વિલ્સન હિલ ધરમપુરમાં આવેલુ છે. જે દક્ષિણ ગુજરાતનું સૌથી સુંદર અને જોવાલયક સ્થળ માનુ એક છે. વલસાડમાં ડુંગરાળ પ્રદેશો છે જે શિયાળા - ચોમાસામાં કુદરતી સૌદર્યથી ખીલી જાય છે. 

તો બીજી તરફ ધરમપુરમાં આવેલ પંગારબારી ગામમાં આવેલ વિલ્સન હિલ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ખીલી જાય છે અને સાથે સાથે આ હિલ ડુંગરની ટોચ પર હોવાથી તેના પર અથડાતા વાદળોથી તેનો નજારો કઇક અલગ જ હોય છે. 

જેના કારણસર આ હિલની મુલાકાતે અસંખ્ય પ્રવાસીઓ આવતા હોય છે અને આ કુદરતી સૌદર્યની મજામાણતા જોવા મળે છે. મિત્રો સાથે વેકેશનની મસ્તી વગેરે માટેનું તો ખાસ પ્લાનિંગ થતું રહે છે ત્યારે ગુજરાતના આ હિલની મુલાકાતે જરૂર જવું જોઇએ. 



Friday, January 6, 2017

ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17મી જાન્યુઆરીથી - ઇટલી, જર્મની અને અમેરિકર લાઇટથી શોભી ઉઠ્યું ખોડલધામ

રાજકોટ : ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ લાખો લોકો માણી શકે તે માટે અલગ અલગ સ્થળ પર 125 જેટલી એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકવામાં આવનાર છે અને મહોત્સવમાં સાંજ ઢળ્યા પછી પણ મંદિર પરિસર ઝળહળતું રહે તેવી આધુનિક લાઇટિંગ સિસ્ટમ ફિટ કરી દેવામાં આવી છે. ઇટલી, જર્મની અને અમેરિકાથી ખાસ લાઇટો મંગાવી ખોડલધામ મંદિર અને પરિસરમાં ગોઠવવામાં આવી છે. આ લાઇટિંગથી મંદિર ઝળહળી ઉઠ્યું છે.

 
લાઇટિંગ માટે 40 મોટા અને 260 નાના સિંગલ ટાવર મૂકવામાં આવ્યા છે.

ઇલેક્ટ્રિક, સાઉન્ડ અને લાઇટ સમિતિના શિવલાલભાઇ બારસિયાએ જણાવ્યું હતું કે, લાખો લોકો કાર્યક્રમ માણી શકે તે માટે 100 બાય 15 ફૂટની બે, 20 બાય 10 ફૂટની 100 અને અન્ય 23 મળીને 125 એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકવામાં અાવશે. એલ.ઇ.ડી. સ્ક્રીનમાં લાઇવ પ્રસારણ થશે. ખોડલધામ મંદિર પરિસરના દરેક ખૂણેથી કાર્યક્રમ માણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ એલઇડી સ્ક્રીનનું માપ કાઢો તો પાંચ હજાર ચોરસ ફૂટ થાય! લાઇટિંગ માટે 40 મોટા અને 260 નાના સિંગલ ટાવર મૂકવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં વાવેલા વૃક્ષોને પણ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે.
6 મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવશે
 
લાઇટ માટે ચારેય દિશામાંથી 1600 કે.વી.ના 14 વીજ કનેકશન લેવામાં આવ્યા છે. ઉપરાંત આપાત્તકાલિન સ્થિતિ માટે 10 મોટો જનરેટર પણ રાખવામાં આવશે. નેશનલ હાઇવેથી 11 કિલોમીટર અંદર કાગવડ ગામ હોવાથી મોબાઇલ કવરેજ મળવામાં હાલમાં તકલીફ પડી રહી છે. પ્રાણપ્રતિષ્ઠા સમયે મોબાઇલ કવરેજની અગવડ ન પડે તે માટે 6 મોબાઇલ ટાવર ઊભા કરવામાં આવશે.

2.50 લાખ વોટની શક્તિશાળી અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાઉન્ડ સિસ્ટમ સમિતિના મિતુલભાઇ દોંગાએ જણાવ્યું હતું કે, પાંચ દિવસના મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમ માટે અત્યાધુનિક કક્ષાની જેબીએલ 4889 મોડેલની 2.50 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ મૂકવામાં આવશે. મહોત્સવની સ્પીકરના 8 ટાવર ઊભા કરવામાં આવશે. જેમાં એક ટાવર પર 6 સ્પીકર હશે. ઉપરાંત ડોમમાં એમએચ, 3 ડબલ્યુ એવાય મોડેલના 32 સ્પીકરના 4 ટાવર ઊભા કરવામાંં આવશે. પાર્કિંગ તથા જાહેર રસ્તા પર સભા સ્થળનો લાઇવ અવાજ સંભળાતો રહે તે માટે પણ સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં અાવશે. 
  

અમદાવાદ અને મુંબઇની કન્સલટન્ટની નિમણૂંક કરાઇ હતી

ખોડલધામ મંદિરમાં અત્યાધુનિક લાઇટ ફીટ કરવામાં આવી છે. મંદિરમાં કલાત્કમ કૃતિ રાત્રી સમયે પણ દીપી ઊઠે તે માટે લાઇટને યોગ્ય જગ્યાએ ફીટ થવી જરૂરી હોય છે. આ કામ કરવા માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ અને મુંબઇની કન્સલટન્ટની નિમણૂંક કરવામાં આવી હતી. કન્સલટન્ટની 6 લોકોની ટીમ અને ખોડલધામના 40 સ્વયંસેવકોએ લાઇટ ફીટિંગનું કામ કર્યું છે.

Thursday, January 5, 2017

આણંદના જીટોડિયા ગામમાં આવેલ શિવલિંગનું 1000 વર્ષ જુનું રહસ્ય અકબંધ, શિવલિંગમાંથી નીકળે છે પાણી

આણંદથી ૩ કિલોમીટર દુર આવેલા જીટોડિયા ગામના વૈજનાથ મહાદેવ મંદિરમાં હજારો વર્ષોથી એક રહસ્ય છુપાયેલું છે. આ મંદિરમાં આવેલા શિવલિંગમાંથી પાણી નીકળે છે અને આ પાણી કેવી રીતે નીકળે છે એ રહસ્યનો વિષય બની ગયું છે. આ મંદિર વિષે એવું કહેવાય છે કે જ્યારે ભીમે રાક્ષસી હિડંબા સાથે લગ્ન કર્યા ત્યાર પછી તે અહીંયા રોકાયો હતો અને તે શિવ ભક્તિ માટે આ શિવલિંગની પૂજા કરતો હતો. સમય વીતતાં કુદરતી આફતોને કારણે આ શિવલિંગ જમીનમાં દટાઈ ગયું હતું અને વર્ષો સુધી જમીનમાં દટાયેલું રહ્યું હતું.
શિવલિંગ પર 25 જેટલા છિદ્રો છે જેમાંથી ગંગા જેવું પવિત્ર જળ નીકળ્યાં જ કરે છે


ખોદકામ કરતાં જમીનમાંથી મળી આવ્યું હતું શિવલિંગ

ઇ.સ. 1212માં ગુજરાતમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. આ ગામના એક ગોવાળિયાની ગાય વાંરવાર આ સ્થળે દૂધ જરી દેતી હતી અને આ જગ્યાએ ગોવાળિયાઓએ ખોદકામ કર્યું હતું. ખોદકામ કરતાં જમીનમાંથી આ શિવલિંગ મળી આવ્યું હતું અને જેમાં ઘા વાગવાથી ખંડિત થયું હતું. જ્યારે શિવલિંગ બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેમાં પડેલા છિદ્રોમાંથી પાણી નીકળતાં લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા અને સિદ્ધરાજ જયસિંહ સુધી આ વાત પહોંચી અને સિદ્ધરાજ જયસિંહે મંદિરનો જીણોધાર કરાવ્યો હતો અને શિવલિંગનું મંદીરમાં સ્થાપન કર્યું હતું.

અધિકારીઓ પણ આ ચમત્કારને સમજી શક્ય ન હતા

મોઘલોના શાસન દરમિયાન હુમલામાં આ મંદિરને નુકસાન કરવામાં આવ્યું હતું પરંતુ શિવલિંગમાંથી નીકળતું પાણી ચાલુ જ રહ્યું હતું. આ ઘટના પછી સદીઓ વીતી ગઈ અને 1913માં બ્રિટીશ સરકારના ખેડા કલેક્ટરે ભૂસ્તર વિભાગને આ રહસ્ય સમજવાની જવાબદારી સોંપી હતી પણ તે અધિકારીઓ પણ આ ચમત્કારને સમજી શક્ય ન હતા.



Wednesday, January 4, 2017

પંચમહોત્સવનો ચોથો દિવસ: જન મેદનીએ ઉમળકાભેર રંગારંગ કાર્યક્રમ માણ્યો

હાલોલ : ગુજરાત પ્રવાસન નિગમ  લી. ના સહયોગથી પંચમહાલ  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાતળાવ ખાતે આયોજિત કરવામાં આવેલ પંચ મહોત્સવમાં ભારે જનમેદની ઉમળકાભેર ઉમટી  પડી હતી. પંચમહોત્સવના ચોથા દિવસે  ભારે જનમેદની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉમટી પડી હતી. ક્રાફટ બજાર, ફ્રુડ બજાર, આર્ટ ગેલેરી, એડવેન્ચર સ્પોર્ટસ, એમ્યુઝમેન્ટ  પાર્ક વગેરેમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.  ત્રણે પેવેલીયનોમાં હૈયે હૈયુ દબાય તેવી ભારે ભીડ લોકોની હતી.

મોટીસંખ્યામાં માનવ મેદની ઉપસ્થિત રહી

સાંજની સાંસ્કૃતિક સંધ્યામાં  શ્યામલ  શેઠ અને સિધ્ધાર્થ મહાદેવને પોતાની કલાથી ઉપસ્થિત જનસમૂહને  ડોલાવ્યા હતાં.  ચોથા દિવસના પંચમહોત્સવમાં આશરે 20 હજાર ઉપરાંત મેદની ગોધરા, હાલોલ, કાલોલ, લુણાવાડા, મોરવા(હ), દે.બારીયા, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભરૂચ તથા સુરત સહિતના વિવિધ વિસ્તારોના મહાકાળી માતાજીને નમન કરનારા ભકતજનો અને માતાજી પ્રત્યે શ્રદ્ધ રાખનાર જીલ્લાના વતની તથા પરપ્રાંતિઓ મોટીસંખ્યામાં માનવ મેદની ઉપસ્થિત રહી હતી.

મહાનુભાવો અને આમંત્રિતો ઉપસ્થિત રહયાં

જિલ્લા પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઇ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેકટર ગોપાલભાઇ શેઠ, જિલ્લા ન્યાયાધિશ  એ .ડી. ઓઝા, જિલ્લા વિકાસ અધિકારી વિજયસિંહ વાઘેલા, વડોદરા વર્તુળના અધિક્ષક ઇજનેર એસ.સી.મોદી, વડા તળાવના સરપંચ, હાલોલ નગરપાલિકાના પ્રમુખ સહિત અનેક મહાનુભાવો અને આમંત્રિતો ઉપસ્થિત રહયાં હતાં.

Monday, January 2, 2017

અભાપુર ટેન્ટ સીટી ખાતે 5મી જાન્યુઆરીથી પોળોત્સવ - પોળોના જંગલ

હિંમતનગર, વિજયનગર: વિજયનગર તાલુકાના અભાપુર ટેન્ટ સીટી ખાતે 5મી જાન્યુઆરીથી પોળોત્સવ શરૂ થઇ રહ્યો છે. જેનો આરંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરાનાર હોઇ ટેન્ટ સીટી અને રિસોર્ટ ખાતે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાબરકાંઠાના મિનિ કાશ્મીર ગણાતા આ પોળોના જંગમાં પાકૃતિક અને ઐતિહાસિક વિરાસતનો ખજાનો હોઇ પ્રવાસીઅો મોટી સંખ્યામાં આવે છે. જેની જાણકારી વધુ લોકો સુધી પહોંચે તે માટે ગત વર્ષથી આ ઉત્સવની શરૂઅાત કરાઇ છે.


વિજયનગર તાલુકાના અંદ્રોખાથી વણજ ડેમ સુધી પથરાયેલી વનરાજી અને ઐતિહાસિક પુરાતત્વીય ધરોહર તથા સમૃધ્ધ શિલ્પ સ્થાપત્યથી દુનિયાને વાકેફ કરાવી ટૂરીઝમને પ્રોત્સાહન મળે તે હેતુસર પ્રતિ વર્ષ શિયાળામાં પોળોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે 5મી જાન્યુઆરીથી 5મી માર્ચ સુધી ચાલનારા પોળોત્સવમાં વધુને વધુ પ્રવાસીઓ આવે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 5મી જાન્યુઆરીએ પોળોત્સવના પ્રારંભ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભા સ્પીકર રમણલાલ વોરા, પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા, કલેકટર પી.સ્વરૂપ, ડીડીઓ હર્ષ વ્યાસ સહિત અધિકારીઓ હાજર રહેનાર છે.


ઉત્સવના આકર્ષણો

પોળોમાં ટેન્ટસિટી, રિસોર્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, એડવેન્ચર એકટીવીટી, રેલ રોડ, ક્રોસ લોગ, હેંગીંગ હેઝ, ઝીગ-ઝેગ બોર્ડ વોક, એક્રોસ વૂડન ફૂટ પ્રીન્ટ વોક,  રોપ ટ્રાવર્ઝીંગ, બર્ડ વોકીંગ સહિતની સુવિધાઓ પ્રાપ્ત કરાવાઇ છે.  

Tuesday, December 27, 2016

કદવાર ગામે આવેલું 1800 વર્ષ જૂનું ભગવાન વારાહ સ્વરૂપનું અતિપ્રાચિન મંદિર

કદવાર ગામે આવેલું 1800 વર્ષ જૂનું ભગવાન વારાહ સ્વરૂપનું અતિપ્રાચિન મંદિર

ગિર-સોમનાથ જિલ્લામાં છેવાડાનાં દરિયાકાંઠે સોમનાથથી 12 કિમી દૂર ભારતવર્ષનું એકમાત્ર ભગવાનનાં વારાહ સ્વરૂપનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. મૌર્ય સમયની કલા, સંસ્કૃતિ અને કોતરકામથી શોભતું આ ભવ્ય મંદિર કદવાર ગામે આવેલું છે. ઇસ 212નાં ચંદ્રગુપ્ત મૌર્ય યુગની ઉત્તમ શિલ્પકળાની ઝાંખી અહીં થાય છે.

કદવાર ગામે 1800 વર્ષ જૂનું છે આ મંદિર


સોમનાથથી 12 કિમી દૂર કદવાર ગામે વારાહ ભગવાનનું મંદિર આવેલું છે. જેમાં ઇસ 212ની ચંદ્રગુપ્ત મૌર્યનાં યુગની ઉતમ શિલ્પકળાથી શોભે છે. તે ભારતવર્ષનું એકમાત્ર ભગવાનનાં વારાહ સ્વરૂપનું ભવ્ય મંદિર છે. મંદિર 1800 વર્ષ જૂનું છે. આ પવિત્ર સ્થળને અરબી સમુદ્રનાં ઘુઘવાતા સફેદ મોજાં સતતપણે પખાળતા રહે છે. સૌરાષ્ટ્રમાં ઇસ. 212થી ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું ત્યારે રાજા ધનાનંદનાં સાળાએ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. કદવાર ગામનું જૂનું નામ કદ્વાર હતું તેમ જાણવા મળે છે.

Monday, December 26, 2016

સુખડીના વિશેષ પ્રસાદને લીધે દુનિયામાં જાણીતું બન્યું છે ગુજરાતનું આ જૈન મંદિર

ગુજરાતનાં મહત્ત્વનાં દર્શનીય અને પવિત્ર તીર્થધામો પૈકીનું એક જૈન ધર્મનું મહુડી તીર્થધામ છે. મહુડીમાં મૂળનાયક પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું 24 તીર્થંકર ભગવંતની દેરીસહિતનું જિનાલય આવેલું છે. આ મંદિરની પ્રતિષ્ઠા યોગનિષ્ઠ આ.ભ. શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીના હસ્તે કરવામાં આવી હતી. જૈનશાસનના બાવન વીરો પૈકી ત્રીસમા વીર ઘંટાકર્ણ મહાવીર દેવની પ્રતિષ્ઠા પણ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીએ કરેલ છે. આમ મહુડીમાં તીર્થંકર ભગવાનનાં દર્શનની સાથે ધનુર્ધારી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને અહીંનો સુખડીનો પ્રસાદ એ ભાવિકો માટે સંભારણું બની રહે છે. આ પ્રસાદ ઘરે કે મંદિરની બહાર લઇ જઇ શકાતો નથી તે પણ એક વિશેષતા છે.
આ સુપ્રસિદ્ધ મંદિરનો ઇતિહાસ જોઇએ તો સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન મહુડી ગામમાં પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરને કારણે મહુડી ગામ ભયમાં આવી જતાં અગ્રણી જૈનોએ નવું ગામ વસાવી ત્યાં વસવાટ કરી નૂતન જિનાલય બનાવી મૂળ નાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્વરસ્વામીની પ્રતિષ્ઠા સંવત 1974માં માગશર સુદ 6ના દિવસે આચાર્ય બુદ્ધિસાગર સુરિશ્વરજી દ્વારા કરવામાં આવી તથા પૂ. ગચ્છાધિપતિ કૈલાસસાગર સૂરિશ્વરજી અને પૂ. સુબોધસાગર સુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં 27 જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારથી આ મહાન તીર્થનો વિકાસ થયો. 
ત્યારબાદ વિ.સંવત 2039માં કૈલાસાગર સુરિશ્વરજી અને સુબોધસાગર સુરિશ્વરજીની પ્રેરણાથી જિનાલયનો જીર્ણોદ્ધાર કરી મૂળનાયક પદ્મપ્રભુ ભગવાન, જમણી બાજુ શ્રેયાંસનાથ અને શાંતિનાથ ભગવાન તથા ડાબી બાજુ શીતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી. 

Sunday, December 25, 2016

અ'વાદમાં સાત્વિક ફૂટ ફેસ્ટિવલઃ વિસરાતી જતી વાનગીઓએ જમાવ્યું આકર્ષણ

અમદાવાદ : શહેરના ફાસ્ટ ફૂડ લવર્સને ટ્રેડિશનલ ફૂડ ટ્રાય કરવાનો અવસર મળ્યો છે. ત્રણ દિવસ માટે ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ શરૂ થયો છે. સૃષ્ટિના ઉપક્રમે એઈએસ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલા વિસરાતી વાનગી મહોત્સવમાં વખતે 400 કરતાં વધારે વાનગીઓ રજૂ થઈ છે. વિસરાતી વાનગીઓમાં વખતે પોટલી ઢોકળી, મલ્ટિગ્રેન દાલબાટી, બામ્બૂશૂટ કરી, આદુતલની સુખડી, બકરી-ઉંટડીનાં દૂધ, મરાઠા દરબારમાં ઝૂલકાં ભાખર અને સાથે સાથે આયુર્વેદીક પાન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
સૃષ્ટિના અનિલ ગુપ્તાએ કહ્યું કે, ‘પારંપરીક વિસરાતી વાનગી મહોત્સવ અમદાવાદની આગવી ઓળખ બન્યો છે. અમે એવી વાનગીઓને પ્લેટફોર્મ આપીએ છીએ જે ખરેખર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક હોય. આજે ફાસ્ટ ફૂડના કલ્ચરમાં વાનગીઓ વિસરાઈ રહી છે ત્યારે શહેરીજનો અહીં આવે અને જુએ પછી ઘરે વાનગીઓ બનાવે તે કન્સેપ્ટથી આગળ વધ્યા છીએ.

વિસરાતી વાનગીઓ જોવા મળી સાત્વિકમાં

ઝૂલકા ભાખર અને માલવણી વડા,પોટલી ઢોકળી, કોરમાના પરોઠા, બાજરીનો ચટકો, મુળાની ઢોકળી, રાગી-મકાઈ-સોયાબીન-મેથી ને કોથમીરનો મિક્સ રોટલો, પપૈયાનો હલવો, કાંગ રાગીની ખીચડી, લીલવાની બ્રેડ કચોરી,પંચધાન કઠોળ બાસ્કેટ ચાટ, મૂળાની સુખડી, ઘઉંનો મીઠો દલિયો, ચીલની ભાજી સુપ, મેથી-મુળાની ભાજીવડીનું શાક, બીટ-ગાજર-ખજૂર-નાળીયેરનો મોદક વગેરે. 

Friday, December 23, 2016

ગુજરાતનું ડિજિટલ વિલેજ: ફ્રી Wi-Fiથી લઇ CCTV સુધીની છે સુવિધાઓ

શહેરાના પાદરડી ગ્રામ પંચાયતને વાઇફાઇ સજજ કરી


શહેરા તાલુકાના પાદરડી ગ્રામ પંચાયત વાઇફાઇ તેમજ સીસી ટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. કદાચિત જીલ્લાનું સૌપ્રથમ વાઇફાઇ યુકત ગ્રામ પંચાયત બનશે. 14માં નાણાંપંચ યોજના અંતર્ગત અમલમાં મુકવામાં આવ્યુ છે. તેમજ ગામની સુરક્ષાના ભાગરુપે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

જિલ્લાનું સૌપ્રથમ વાઇફાઇ ગ્રામ પંચાયત


કહેવાય છે કે જેવો રાજા તેવી તેની પ્રજા, રાજા જો સકારાત્મક કંઇક કરી છુટવાની ભાવનાવાળો હશે, કે મારો દેશ, મારૂ રાજય, મારૂ ગામ વિકાસની જે કેડીએ કંડારાઇ છે તેમાં જોડાય તો તે થતા કોઇ રોકી શકતુ નથી. કંઇક આવુ જ શહેરા તાલુકાના પાદરડી ગ્રામ પંચાયતનું છે. જેમાં પૂર્વ સરપંચ તરીકે ડો.કિરણસિંહ સોમસિંહ બારીયા નેતૃત્વ કરતા હતા. અને તેઓના કાર્યકાળ દરમ્યાન પાદરડી ગ્રામ પંચાયતે વિકાસની એક પછી એક કેડીઓ કંડારતા ગયા. વર્ષ 2015માં તાલુકા અને જીલ્લા પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં તેઓને શહેરા તાલુકા પંચાયત પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા. જો કે કહેવાય છે કે માણસ ગમે તે સ્થાન પર પહોંચે, પરંતુ તે પોતાની માતૃભૂમિને નથી ભુલતો કંઇક એવુ જ આ કિસ્સામાં પણ છે.

14માં નાણાપંચ અંતર્ગત વિકાસ યોજના અમલ

Monday, December 19, 2016

સ્માર્ટ વિલેજમાં 100 ટકા માર્ક્સ મળ્યા - મહિલાઓએ બદલી નાંખી ગામની ઓળખ

આદર્શ અને હાઇટેક ગામ બાદલપરા

મહિલાઓએ બદલી નાંખી ગામની ઓળખ, પ્રેરણારૂપ બની રહ્યું છે ગુજરાતનું આ ગામ..

વેરાવળ : ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના પડધમો સંભળાઇ રહ્યાં છે. રાજ્યના અનેક ગામો સમરસ ગ્રામ પંચયાતની દિશામાં પહેલ કરી રહ્યાં છે અને વિકાસની નવી ગાથા લખવા જઇ રહ્યાં છે, પરંતુ સૌરાષ્ટ્રના વેરાવળ પાસે એક એવું ગામ આવેલું છે, જ્યાં પંચાયતી રાજની સ્થાપનાકાળથી લઇને અત્યારસુધી ક્યારેય કોઇ ચૂંટણી થઇ નથી, એટલું જ નહીં પરંતુ આ ગામનું સુકાન છેલ્લી ત્રણ ટર્મથી મહિલાઓના હાથમાં છે. મહિલાઓ પણ પોતાને સોંપવામાં આવેલી જવાબદારીને નિભાવી રહી હોય તેમ ગામને આજે એક આદર્શ અને નિર્મળ ગ્રામ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. વિકાસની દ્રષ્ટિએ આ ગામ આજે અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે. મહિલ બોડી દ્વારા સરાહનિય કાર્ય કરવામાં આવતા ગ્રામજનોએ સર્વાનુમતે ચોથી ટર્મ પણ મહિલાઓને સોંપવાનું નક્કી કર્યું છે.


 
પંચાયતી રાજની સ્થાપનાકાળથી વેરાવળ તાલુકાના બાદલપુરા ગામમાં એકપણ ચૂંટણી યોજાય નથી અને સતત બીહરીફ રહેલી આ ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રણ ટર્મથી સરપંચ અને સભ્યો સહિત સંપૂર્ણ મહિલા સમરસ બોડીની રચના કરવામાં આવી છે. આ મહિલા સમરસ બોડી દ્વારા ગામનો વિકસ પણ સુપેરે કરવામાં આવી રહ્યો છે. મહિલા બોડીએ આદર્શ ગ્રામ, નિર્મળ ગ્રામ, તીર્થ ગ્રામ સહિતને અનેક એવોર્ડ બાદલપરા ગ્રામ પંચાયતને અપાવ્યા છે. ગામમાં 100 ટકા શૌચાલય અને સ્વસ્છતા સાથે સુવ્યવસ્થિત આયોજન આ મહિલા સમરસ બોડી દ્વારા હાથ ધરવામાં આવી છે.

સ્માર્ટ વિલેજમાં 100 ટકા માર્ક્સ મળ્યા

Sunday, December 18, 2016

પાવાગઢમાં પંચમહોત્સવ: ટેન્ટ સિટી, હેરિટેજ વૉક, ક્રાફ્ટ શૉ બનશે આકર્ષણનું કેન્દ્ર

હાલોલ:સતત બીજા વર્ષે પાવાગઢ-ચાંપાનેર ખાતે પંચમહોત્સવ અંતર્ગત ટેન્‍ટ સીટીનો શાનદાર શુભારંભ ટાંણે  કલેક્ટર પી.ભારથીના હસ્‍તે દિપ પ્રાગટ્ય ટેન્‍ટ સીટીનું ઉદઘાટન કરાયુ હતુ. પાવાગઢના સાંનિધ્યમાં વડા તળાવ પાસે ૪૦ એ.સી. અને ૧૦ નોન એસી ટેન્‍ટ ઉભા કરાતા રાજયભરના પ્રવાસીઓ લાભ લઇ રહયા છે.


ચાંપાનેરમાં પંચમહોત્સવનો ભવ્ય કાર્યક્રમ

પંચમહાલમાં શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાલી માતાના દર્શને વર્ષભર સતત લાખો યાત્રાળુઓ આવાતા હોય છે. લકુલીશ મહાદેવનું પૈરાણિક મંદિર, જૈન મંદિર, સાત કમાન, બાવામાનની મસ્‍જીદ, અને હરિયાળી વનશ્રી અહીં આવેલી છે. આ ઉપરાંત પાવાગઢ તળેટીમાં આવેલા ચાંપાનેર ખાતે ઐતિહાસિક વારસો ધરાવતા અને વર્લ્‍ડ હેરિટેજમાં સ્‍થાન પામેલા બેનમૂન સ્‍થાપત્યો આવેલા છે.

પંચમહોત્‍સવમાં અનેકવિધ આકર્ષણો ઉમેરાયા

ધાર્મિક, ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય ધરાવતા આ સ્‍થળને જાણવા અને માણવા વધુને વધુ સહેલાણીઓ આવે તે માટે સતત બીજા વર્ષે પર જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્‍સવ અંતર્ગત અનેકવિધ આકર્ષણો ઉમેરાયા હતા. રાજ્યના પ્રવાસન નિગમના સહયોગથી શરૂ કરાયેલ પંમહોત્‍સવમાં હેરીટેજ વોક, પિલગ્રીમ ટુર, નેચરલ ટ્રેઇલ, એડવેન્‍ચર સ્‍પોર્ટસ, ફોટોગ્રાફી વર્કશોપ, એમ્યુઝમેન્‍ટ પાર્ક, ક્રાફટ બજાર, ફલી માર્કેટ, ફુડ બજાર, કલ્‍ચરલ ઇવનિંગ જેવી એક્ટીવિટીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.


Friday, December 16, 2016

ગુજરાતના આ ગામમાં છે રામ ટેકરી, જ્યાં આજે પણ છુપાયેલું છે એક રહસ્ય..

ગુજરાતના આ ગામમાં છે રામ ટેકરી, જ્યાં આજે પણ છુપાયેલું છે એક રહસ્ય..

આઝાદ ભારત વખતે 1962માં ઝીયોલોજી વિભાગે પણ ખોદકામ કરતા અમુલ્ય સિક્કા અને દ્રવ્યો મળ્યા હતા..

ભરૂચ અને અંકલેશ્વર ભૂમિ એ તપોભૂમિ અને અધ્યાત્મ ભૂમિ તરીકે પૌણારીક ધર્મગ્રંથોમાં આજે પણ ઉલ્લખ જોવા મળે છે. હિડીમ્બાવન અને ધન્વંતરી વન તરીકે પ્રચલિત અંકલેશ્વર ખાતે આવેલ નાંગલ એક બંદર તરીકે જગ વિખ્યાત હતું અને માં નર્મદાના કિનારે આવેલા નાંગલ ગામ ખાતે મર્યાદા પુરષોત્તમ ભગવાન રામે કરેલા અશ્વમેધ યજ્ઞના રાખના ટેકરા રૂપે બનેલ રામ ટેકરી એક રહસ્ય આજે પણ બની રહેવા પામી છે.


અંકલેશ્વર નાંગલ ગામ ખાતે આવેલ રામ ટેકરી એક રહસ્ય

21મી સદીની પેઢી આજે બહુ જુજ અંકલેશ્વરના પૌણારીક અને ધાર્મિક તપો ભૂમિ વિષે જાણકાર છે એક સમયે નર્મદા નદી અંકલેશ્વર હાલના નગરમાંથી વહેતી હતી અને માંડ 5 કિમીના અંતરે આવેલા નાંગલ ગામ એક નાંગલ બંદર તરીકે જગ વિખ્યાત હતું. મોટા મોટા વહાણો અહીં લંગર લડતા હોવાથી તેનું નામ નાંગલ પડ્યું છે. ત્યારે પૌણારીક ગ્રંથો અને નર્મદા પુરણમાં ઉલ્લેખ મુજબ ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં પસાર થયા હતા. ભગવાન રામે માં નર્મદાના પવિત્ર નાંગલ ધાત પર અશ્વમેધ યજ્ઞ કર્યો હતો જે યજ્ઞમાં ઉત્પન થયેલ રાખનો ઢગલો આજે રામ ટેકરી તરીકે ઓળખાય છે. જે બાબતે આજની પેઢી બહુ જુજ માહિતી ધરાવે છે.


1962માં ઝીયોલોજી વિભાગે પણ ખોદકામ કરતા અમુલ્ય સિક્કા મળ્યા હતા

ભગવાન રામે યજ્ઞ બાદ અશ્વમેધ માટે રહેલ રથ આ યજ્ઞ સ્થળે હોમ્યું હતું. જે રથ માટે મોગલ, ગાયકવાડ સહીત અનેક રાજા રજવાડાએ પ્રયત્ન કર્યા હતા. પરંતુ તે રખના ઢગલામાંથી નીકળતા ભમરાના ઝુંડે ખોદકામના કરવા દેતાં ખરેખર રામ ટેકરીમાંથી નીકળતી રાખનું રહસ્ય આજે પણ અંકબંધ રહ્યું છે. તો આજે પણ જ્યાં પણ રામ ટેકરી પર ખોડો ત્યાં રાખજ નીકળે છે. 1962માં ભારત સરકારના જીયોલોજી વિભાગે અહીં ખોદકામ કર્યું હતું. જેમાંથી અનેક રત્ન, સીક્કા, તેમજ હાડકા નીકળા હતા. જેન અભ્યાસ તેમજ સંગ્રાહલયમાં મુકવા લઈ ગયા હતા. સંજોગો વસાત જેતે વખતે કામગીરી અટકી જતાં આજેપણ રામ ટેકરીમાંથી નીકળતી રાખનું મૂળ રહસ્ય અંકબંધ રહેવા પામ્યું છે.

ભારત આઝાદ થયા બાદ જીયોલોજી વિભાગે રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો

લોક વાયકા અને પૌણારિક ધર્મગ્રંથોના આધાર પ્રમાણે વડીલો પાર્જીતથી ચાલી આવતી વાત મુજબ નાંગલ ગામ નર્મદા કિનારે આવેલ એક અત્યંત સમૃદ્ધ બંદર હતું અને વહાણો જે લગાડતા હતા તેના પરથી નાગલ ગામ નામ પડ્યું હતું અને ભગવાન રામે અહીં અશ્વમેધ યજ્ઞ કર્યો હતો તે સ્થળ આજે રામ ટેકરી તરીકે જાણીતું છે. બ્રામણ યજ્ઞ ઓછા પડતા યજ્ઞની આહુતિ માટે સજોદના પટેલ લોકોને ભગવાન રામે સિદ્ધ રુદ્ર કરી બ્રામણ તરીકે પ્રસ્થાપિત કર્યાં હતા અને રામ ટેકરીના રહસ્ય અને ભગવાન રામે હોમેલ રથ મેળવા માટે બરોડા સ્ટેટના ગાયકવાડ રાજાએ પણ ખોદકામ કર્યું હતું તો અમારી નજરો સમક્ષ સરકારના જીયોલોજી વિભાગે પણ ખોદકામ કર્યું હતું જેમાંથી રત્ન, સીક્કા, તેમજ હાડકાં નીકળ્યાં હતાં જેન અભ્યાસ તેમજ સંગ્રાહલયમાં મુકવા લઈ ગયા હતા. - કેશવ પટેલ, ગામ અગ્રણી અને નિવૃત શિક્ષક, નાગલ..


પૂર્વજોને સિદ્ધ કરી રુદ્ર કરી સજોદ્રા પટેલ બ્રામણ તરીકે પ્રસ્થાપિત કર્યાં

નાંગલ ગામ ખાતે ભગવાન રામે કરેલ અશ્વમેધ યજ્ઞ વખતે આહુતિ માટે બ્રામણ ખૂટતા ભગવાન રામે ભગવાન શિવની આરાધના કરી સજોદ રુદ્ર કુંડ જે હાલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે પણ છે ત્યાં અમારા પૂર્વજોને સિદ્ધ કરી રુદ્ર કરી સજોદ્રા પટેલ બ્રામણ તરીકે પ્રસ્થાપિત કર્યાં હતાં આજે પણ અમે સિદ્ધ રુદ્ર સજોદ્રા પટેલ બ્રામણ તરીકે ઓળખાય છે. બસ કર્મકાંડ અમે નથી જે બાબતે અમારા પૂર્વજો દ્વારા પેઢી દર પેઢીથી ચાલી આવ્યું છે અને જાણકારી વડીલો આપી રહ્યા છે.





Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies