Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: Popular Places In Gujarat
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places
Showing posts with label Popular Places In Gujarat. Show all posts
Showing posts with label Popular Places In Gujarat. Show all posts

Sunday, January 8, 2017

ગુજરાતનું આ હિલ્સ સ્ટેશન છે Natural Beautyથી ભરપૂર, જુઓ અદભૂત નજારો

વિલ્સન હિલ ધરમપુરમાં આવેલુ છે. જે દક્ષિણ ગુજરાતનું સૌથી સુંદર અને જોવાલયક સ્થળ માનુ એક છે. વલસાડમાં ડુંગરાળ પ્રદેશો છે જે શિયાળા - ચોમાસામાં કુદરતી સૌદર્યથી ખીલી જાય છે. 

તો બીજી તરફ ધરમપુરમાં આવેલ પંગારબારી ગામમાં આવેલ વિલ્સન હિલ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ખીલી જાય છે અને સાથે સાથે આ હિલ ડુંગરની ટોચ પર હોવાથી તેના પર અથડાતા વાદળોથી તેનો નજારો કઇક અલગ જ હોય છે. 

જેના કારણસર આ હિલની મુલાકાતે અસંખ્ય પ્રવાસીઓ આવતા હોય છે અને આ કુદરતી સૌદર્યની મજામાણતા જોવા મળે છે. મિત્રો સાથે વેકેશનની મસ્તી વગેરે માટેનું તો ખાસ પ્લાનિંગ થતું રહે છે ત્યારે ગુજરાતના આ હિલની મુલાકાતે જરૂર જવું જોઇએ. 



અમદાવાદીઓએ ‘કાઈટ ફેસ્ટિવલ’ની માણી મજા: વિદેશી યુવતીઓએ ચગાવ્યો પતંગ

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2017નો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. આ પતંગ મહોત્સવ 7 દિવસ સુધી એટલે કે 14મી જાન્યુઆરી સુધી ચાલશે. આ મહોત્સવમાં અમદાવાદના સહિત વિદેશીઓ પણ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં લોકએ પતંગ ચગાવીને મજા માણી હતી.


સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાર્થક કરીએ: રૂપાણી

કાઈટ ફેસ્ટિવલ દરમિયાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી શરૂ થયું હતું જેનાથી મકરસંક્રાંતિ એકદમ લાઈવ બની છે. આ કાઈટ ફેસ્ટિવલ સાથે ગુજરાત સરકારે ‘કરૂણા અભિયાન’ પણ શરૂ કર્યું છે. આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે કાર્યક્રમમાં બાળકો દ્વારા સૂર્યનમસ્કાર પણ કરવામાં આવ્યા. આ દ્વારા શરીરમાં શક્તિનું સિંચન કરે છે તેથી સૂર્યની પૂજા આપણે વર્ષોથી કરીએ છીએ આપણને તેનાથી ઘણાં લાભ થાય છે. મકરસંક્રાંતિ તલ અને ગોળનો ઉત્સવ છે જેમ તલ અને ગોળ એકબીજામાં ભળી જાય છે તેવી જ રીતે આપણે પણ એકબીજામાં ભળીને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાર્થક કરવાનો છે. આપણે સાથે મળીને આગળ વધવાનું છે.
મહોત્સવના અન્ય આકર્ષણો

આ મહોત્સવમાં 31 દેશોમાંથી 114 પતંગબાજો હાજર રહ્યા હતાં. સમગ્ર દેશમાંથી 150 અને રાજ્યના 350 લોકો સાથે મળી 400થી વધુ પતંગબાજો પોતોનું કરતબ બતાવ્યું હતું. આખા રાજ્યમાં કુલ 14 જગ્યાએ પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સાત દિવસ ચાલનારા આ મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં મુખ્યત્વે ગુજરાત પ્રવાસી સ્થળો પર થીમ પેવેલિયન, કાઈટ મેકિંગ વર્કશોપ, એડવેન્ચર એક્ટિવીટિઝ, 360 VR ડિસપ્લે, ક્રાફ્ટ બજાર તથા ફૂટ સ્ટોલ રાખવામાં આવશે.

Friday, January 6, 2017

ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17મી જાન્યુઆરીથી - ઇટલી, જર્મની અને અમેરિકર લાઇટથી શોભી ઉઠ્યું ખોડલધામ

રાજકોટ : ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ લાખો લોકો માણી શકે તે માટે અલગ અલગ સ્થળ પર 125 જેટલી એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકવામાં આવનાર છે અને મહોત્સવમાં સાંજ ઢળ્યા પછી પણ મંદિર પરિસર ઝળહળતું રહે તેવી આધુનિક લાઇટિંગ સિસ્ટમ ફિટ કરી દેવામાં આવી છે. ઇટલી, જર્મની અને અમેરિકાથી ખાસ લાઇટો મંગાવી ખોડલધામ મંદિર અને પરિસરમાં ગોઠવવામાં આવી છે. આ લાઇટિંગથી મંદિર ઝળહળી ઉઠ્યું છે.

 
લાઇટિંગ માટે 40 મોટા અને 260 નાના સિંગલ ટાવર મૂકવામાં આવ્યા છે.

ઇલેક્ટ્રિક, સાઉન્ડ અને લાઇટ સમિતિના શિવલાલભાઇ બારસિયાએ જણાવ્યું હતું કે, લાખો લોકો કાર્યક્રમ માણી શકે તે માટે 100 બાય 15 ફૂટની બે, 20 બાય 10 ફૂટની 100 અને અન્ય 23 મળીને 125 એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકવામાં અાવશે. એલ.ઇ.ડી. સ્ક્રીનમાં લાઇવ પ્રસારણ થશે. ખોડલધામ મંદિર પરિસરના દરેક ખૂણેથી કાર્યક્રમ માણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ એલઇડી સ્ક્રીનનું માપ કાઢો તો પાંચ હજાર ચોરસ ફૂટ થાય! લાઇટિંગ માટે 40 મોટા અને 260 નાના સિંગલ ટાવર મૂકવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં વાવેલા વૃક્ષોને પણ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે.
6 મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવશે
 
લાઇટ માટે ચારેય દિશામાંથી 1600 કે.વી.ના 14 વીજ કનેકશન લેવામાં આવ્યા છે. ઉપરાંત આપાત્તકાલિન સ્થિતિ માટે 10 મોટો જનરેટર પણ રાખવામાં આવશે. નેશનલ હાઇવેથી 11 કિલોમીટર અંદર કાગવડ ગામ હોવાથી મોબાઇલ કવરેજ મળવામાં હાલમાં તકલીફ પડી રહી છે. પ્રાણપ્રતિષ્ઠા સમયે મોબાઇલ કવરેજની અગવડ ન પડે તે માટે 6 મોબાઇલ ટાવર ઊભા કરવામાં આવશે.

2.50 લાખ વોટની શક્તિશાળી અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાઉન્ડ સિસ્ટમ સમિતિના મિતુલભાઇ દોંગાએ જણાવ્યું હતું કે, પાંચ દિવસના મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમ માટે અત્યાધુનિક કક્ષાની જેબીએલ 4889 મોડેલની 2.50 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ મૂકવામાં આવશે. મહોત્સવની સ્પીકરના 8 ટાવર ઊભા કરવામાં આવશે. જેમાં એક ટાવર પર 6 સ્પીકર હશે. ઉપરાંત ડોમમાં એમએચ, 3 ડબલ્યુ એવાય મોડેલના 32 સ્પીકરના 4 ટાવર ઊભા કરવામાંં આવશે. પાર્કિંગ તથા જાહેર રસ્તા પર સભા સ્થળનો લાઇવ અવાજ સંભળાતો રહે તે માટે પણ સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં અાવશે. 
  

અમદાવાદ અને મુંબઇની કન્સલટન્ટની નિમણૂંક કરાઇ હતી

ખોડલધામ મંદિરમાં અત્યાધુનિક લાઇટ ફીટ કરવામાં આવી છે. મંદિરમાં કલાત્કમ કૃતિ રાત્રી સમયે પણ દીપી ઊઠે તે માટે લાઇટને યોગ્ય જગ્યાએ ફીટ થવી જરૂરી હોય છે. આ કામ કરવા માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ અને મુંબઇની કન્સલટન્ટની નિમણૂંક કરવામાં આવી હતી. કન્સલટન્ટની 6 લોકોની ટીમ અને ખોડલધામના 40 સ્વયંસેવકોએ લાઇટ ફીટિંગનું કામ કર્યું છે.

Thursday, January 5, 2017

આણંદના જીટોડિયા ગામમાં આવેલ શિવલિંગનું 1000 વર્ષ જુનું રહસ્ય અકબંધ, શિવલિંગમાંથી નીકળે છે પાણી

આણંદથી ૩ કિલોમીટર દુર આવેલા જીટોડિયા ગામના વૈજનાથ મહાદેવ મંદિરમાં હજારો વર્ષોથી એક રહસ્ય છુપાયેલું છે. આ મંદિરમાં આવેલા શિવલિંગમાંથી પાણી નીકળે છે અને આ પાણી કેવી રીતે નીકળે છે એ રહસ્યનો વિષય બની ગયું છે. આ મંદિર વિષે એવું કહેવાય છે કે જ્યારે ભીમે રાક્ષસી હિડંબા સાથે લગ્ન કર્યા ત્યાર પછી તે અહીંયા રોકાયો હતો અને તે શિવ ભક્તિ માટે આ શિવલિંગની પૂજા કરતો હતો. સમય વીતતાં કુદરતી આફતોને કારણે આ શિવલિંગ જમીનમાં દટાઈ ગયું હતું અને વર્ષો સુધી જમીનમાં દટાયેલું રહ્યું હતું.
શિવલિંગ પર 25 જેટલા છિદ્રો છે જેમાંથી ગંગા જેવું પવિત્ર જળ નીકળ્યાં જ કરે છે


ખોદકામ કરતાં જમીનમાંથી મળી આવ્યું હતું શિવલિંગ

ઇ.સ. 1212માં ગુજરાતમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. આ ગામના એક ગોવાળિયાની ગાય વાંરવાર આ સ્થળે દૂધ જરી દેતી હતી અને આ જગ્યાએ ગોવાળિયાઓએ ખોદકામ કર્યું હતું. ખોદકામ કરતાં જમીનમાંથી આ શિવલિંગ મળી આવ્યું હતું અને જેમાં ઘા વાગવાથી ખંડિત થયું હતું. જ્યારે શિવલિંગ બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેમાં પડેલા છિદ્રોમાંથી પાણી નીકળતાં લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા અને સિદ્ધરાજ જયસિંહ સુધી આ વાત પહોંચી અને સિદ્ધરાજ જયસિંહે મંદિરનો જીણોધાર કરાવ્યો હતો અને શિવલિંગનું મંદીરમાં સ્થાપન કર્યું હતું.

અધિકારીઓ પણ આ ચમત્કારને સમજી શક્ય ન હતા

મોઘલોના શાસન દરમિયાન હુમલામાં આ મંદિરને નુકસાન કરવામાં આવ્યું હતું પરંતુ શિવલિંગમાંથી નીકળતું પાણી ચાલુ જ રહ્યું હતું. આ ઘટના પછી સદીઓ વીતી ગઈ અને 1913માં બ્રિટીશ સરકારના ખેડા કલેક્ટરે ભૂસ્તર વિભાગને આ રહસ્ય સમજવાની જવાબદારી સોંપી હતી પણ તે અધિકારીઓ પણ આ ચમત્કારને સમજી શક્ય ન હતા.



Wednesday, January 4, 2017

પંચમહોત્સવનો ચોથો દિવસ: જન મેદનીએ ઉમળકાભેર રંગારંગ કાર્યક્રમ માણ્યો

હાલોલ : ગુજરાત પ્રવાસન નિગમ  લી. ના સહયોગથી પંચમહાલ  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાતળાવ ખાતે આયોજિત કરવામાં આવેલ પંચ મહોત્સવમાં ભારે જનમેદની ઉમળકાભેર ઉમટી  પડી હતી. પંચમહોત્સવના ચોથા દિવસે  ભારે જનમેદની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉમટી પડી હતી. ક્રાફટ બજાર, ફ્રુડ બજાર, આર્ટ ગેલેરી, એડવેન્ચર સ્પોર્ટસ, એમ્યુઝમેન્ટ  પાર્ક વગેરેમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.  ત્રણે પેવેલીયનોમાં હૈયે હૈયુ દબાય તેવી ભારે ભીડ લોકોની હતી.

મોટીસંખ્યામાં માનવ મેદની ઉપસ્થિત રહી

સાંજની સાંસ્કૃતિક સંધ્યામાં  શ્યામલ  શેઠ અને સિધ્ધાર્થ મહાદેવને પોતાની કલાથી ઉપસ્થિત જનસમૂહને  ડોલાવ્યા હતાં.  ચોથા દિવસના પંચમહોત્સવમાં આશરે 20 હજાર ઉપરાંત મેદની ગોધરા, હાલોલ, કાલોલ, લુણાવાડા, મોરવા(હ), દે.બારીયા, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભરૂચ તથા સુરત સહિતના વિવિધ વિસ્તારોના મહાકાળી માતાજીને નમન કરનારા ભકતજનો અને માતાજી પ્રત્યે શ્રદ્ધ રાખનાર જીલ્લાના વતની તથા પરપ્રાંતિઓ મોટીસંખ્યામાં માનવ મેદની ઉપસ્થિત રહી હતી.

મહાનુભાવો અને આમંત્રિતો ઉપસ્થિત રહયાં

જિલ્લા પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઇ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેકટર ગોપાલભાઇ શેઠ, જિલ્લા ન્યાયાધિશ  એ .ડી. ઓઝા, જિલ્લા વિકાસ અધિકારી વિજયસિંહ વાઘેલા, વડોદરા વર્તુળના અધિક્ષક ઇજનેર એસ.સી.મોદી, વડા તળાવના સરપંચ, હાલોલ નગરપાલિકાના પ્રમુખ સહિત અનેક મહાનુભાવો અને આમંત્રિતો ઉપસ્થિત રહયાં હતાં.

Monday, January 2, 2017

અભાપુર ટેન્ટ સીટી ખાતે 5મી જાન્યુઆરીથી પોળોત્સવ - પોળોના જંગલ

હિંમતનગર, વિજયનગર: વિજયનગર તાલુકાના અભાપુર ટેન્ટ સીટી ખાતે 5મી જાન્યુઆરીથી પોળોત્સવ શરૂ થઇ રહ્યો છે. જેનો આરંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરાનાર હોઇ ટેન્ટ સીટી અને રિસોર્ટ ખાતે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાબરકાંઠાના મિનિ કાશ્મીર ગણાતા આ પોળોના જંગમાં પાકૃતિક અને ઐતિહાસિક વિરાસતનો ખજાનો હોઇ પ્રવાસીઅો મોટી સંખ્યામાં આવે છે. જેની જાણકારી વધુ લોકો સુધી પહોંચે તે માટે ગત વર્ષથી આ ઉત્સવની શરૂઅાત કરાઇ છે.


વિજયનગર તાલુકાના અંદ્રોખાથી વણજ ડેમ સુધી પથરાયેલી વનરાજી અને ઐતિહાસિક પુરાતત્વીય ધરોહર તથા સમૃધ્ધ શિલ્પ સ્થાપત્યથી દુનિયાને વાકેફ કરાવી ટૂરીઝમને પ્રોત્સાહન મળે તે હેતુસર પ્રતિ વર્ષ શિયાળામાં પોળોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે 5મી જાન્યુઆરીથી 5મી માર્ચ સુધી ચાલનારા પોળોત્સવમાં વધુને વધુ પ્રવાસીઓ આવે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 5મી જાન્યુઆરીએ પોળોત્સવના પ્રારંભ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભા સ્પીકર રમણલાલ વોરા, પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા, કલેકટર પી.સ્વરૂપ, ડીડીઓ હર્ષ વ્યાસ સહિત અધિકારીઓ હાજર રહેનાર છે.


ઉત્સવના આકર્ષણો

પોળોમાં ટેન્ટસિટી, રિસોર્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, એડવેન્ચર એકટીવીટી, રેલ રોડ, ક્રોસ લોગ, હેંગીંગ હેઝ, ઝીગ-ઝેગ બોર્ડ વોક, એક્રોસ વૂડન ફૂટ પ્રીન્ટ વોક,  રોપ ટ્રાવર્ઝીંગ, બર્ડ વોકીંગ સહિતની સુવિધાઓ પ્રાપ્ત કરાવાઇ છે.  

Monday, December 19, 2016

સ્માર્ટ વિલેજમાં 100 ટકા માર્ક્સ મળ્યા - મહિલાઓએ બદલી નાંખી ગામની ઓળખ

આદર્શ અને હાઇટેક ગામ બાદલપરા

મહિલાઓએ બદલી નાંખી ગામની ઓળખ, પ્રેરણારૂપ બની રહ્યું છે ગુજરાતનું આ ગામ..

વેરાવળ : ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના પડધમો સંભળાઇ રહ્યાં છે. રાજ્યના અનેક ગામો સમરસ ગ્રામ પંચયાતની દિશામાં પહેલ કરી રહ્યાં છે અને વિકાસની નવી ગાથા લખવા જઇ રહ્યાં છે, પરંતુ સૌરાષ્ટ્રના વેરાવળ પાસે એક એવું ગામ આવેલું છે, જ્યાં પંચાયતી રાજની સ્થાપનાકાળથી લઇને અત્યારસુધી ક્યારેય કોઇ ચૂંટણી થઇ નથી, એટલું જ નહીં પરંતુ આ ગામનું સુકાન છેલ્લી ત્રણ ટર્મથી મહિલાઓના હાથમાં છે. મહિલાઓ પણ પોતાને સોંપવામાં આવેલી જવાબદારીને નિભાવી રહી હોય તેમ ગામને આજે એક આદર્શ અને નિર્મળ ગ્રામ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. વિકાસની દ્રષ્ટિએ આ ગામ આજે અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે. મહિલ બોડી દ્વારા સરાહનિય કાર્ય કરવામાં આવતા ગ્રામજનોએ સર્વાનુમતે ચોથી ટર્મ પણ મહિલાઓને સોંપવાનું નક્કી કર્યું છે.


 
પંચાયતી રાજની સ્થાપનાકાળથી વેરાવળ તાલુકાના બાદલપુરા ગામમાં એકપણ ચૂંટણી યોજાય નથી અને સતત બીહરીફ રહેલી આ ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રણ ટર્મથી સરપંચ અને સભ્યો સહિત સંપૂર્ણ મહિલા સમરસ બોડીની રચના કરવામાં આવી છે. આ મહિલા સમરસ બોડી દ્વારા ગામનો વિકસ પણ સુપેરે કરવામાં આવી રહ્યો છે. મહિલા બોડીએ આદર્શ ગ્રામ, નિર્મળ ગ્રામ, તીર્થ ગ્રામ સહિતને અનેક એવોર્ડ બાદલપરા ગ્રામ પંચાયતને અપાવ્યા છે. ગામમાં 100 ટકા શૌચાલય અને સ્વસ્છતા સાથે સુવ્યવસ્થિત આયોજન આ મહિલા સમરસ બોડી દ્વારા હાથ ધરવામાં આવી છે.

સ્માર્ટ વિલેજમાં 100 ટકા માર્ક્સ મળ્યા

Sunday, December 18, 2016

પાવાગઢમાં પંચમહોત્સવ: ટેન્ટ સિટી, હેરિટેજ વૉક, ક્રાફ્ટ શૉ બનશે આકર્ષણનું કેન્દ્ર

હાલોલ:સતત બીજા વર્ષે પાવાગઢ-ચાંપાનેર ખાતે પંચમહોત્સવ અંતર્ગત ટેન્‍ટ સીટીનો શાનદાર શુભારંભ ટાંણે  કલેક્ટર પી.ભારથીના હસ્‍તે દિપ પ્રાગટ્ય ટેન્‍ટ સીટીનું ઉદઘાટન કરાયુ હતુ. પાવાગઢના સાંનિધ્યમાં વડા તળાવ પાસે ૪૦ એ.સી. અને ૧૦ નોન એસી ટેન્‍ટ ઉભા કરાતા રાજયભરના પ્રવાસીઓ લાભ લઇ રહયા છે.


ચાંપાનેરમાં પંચમહોત્સવનો ભવ્ય કાર્યક્રમ

પંચમહાલમાં શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાલી માતાના દર્શને વર્ષભર સતત લાખો યાત્રાળુઓ આવાતા હોય છે. લકુલીશ મહાદેવનું પૈરાણિક મંદિર, જૈન મંદિર, સાત કમાન, બાવામાનની મસ્‍જીદ, અને હરિયાળી વનશ્રી અહીં આવેલી છે. આ ઉપરાંત પાવાગઢ તળેટીમાં આવેલા ચાંપાનેર ખાતે ઐતિહાસિક વારસો ધરાવતા અને વર્લ્‍ડ હેરિટેજમાં સ્‍થાન પામેલા બેનમૂન સ્‍થાપત્યો આવેલા છે.

પંચમહોત્‍સવમાં અનેકવિધ આકર્ષણો ઉમેરાયા

ધાર્મિક, ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય ધરાવતા આ સ્‍થળને જાણવા અને માણવા વધુને વધુ સહેલાણીઓ આવે તે માટે સતત બીજા વર્ષે પર જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્‍સવ અંતર્ગત અનેકવિધ આકર્ષણો ઉમેરાયા હતા. રાજ્યના પ્રવાસન નિગમના સહયોગથી શરૂ કરાયેલ પંમહોત્‍સવમાં હેરીટેજ વોક, પિલગ્રીમ ટુર, નેચરલ ટ્રેઇલ, એડવેન્‍ચર સ્‍પોર્ટસ, ફોટોગ્રાફી વર્કશોપ, એમ્યુઝમેન્‍ટ પાર્ક, ક્રાફટ બજાર, ફલી માર્કેટ, ફુડ બજાર, કલ્‍ચરલ ઇવનિંગ જેવી એક્ટીવિટીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.


Wednesday, December 14, 2016

સુરતની અજીબો-ગરીબ ઘટનાઃ મધરાતે રોડ પર સર્જાય છે સફેદ ફીણની ચાદર

સુરત:કતારગામ ગજેરા સર્કલ નજીકના રોડ મધરાત થતાં જ સફેદ ચાદરમાં બદલાઇ જવાની અજીબો-ગરીબ ઘટનાએ સૌ કોઇને ચોંકાવી નાખ્યા છે. છેલ્લા 10 દિવસથી રોડ ઉપરની ગટર લાઇનમાંથી નીકળતા સફેદ ફીણને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પાલિકાના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા

ગટરમાંથી સફેદ ફીણ નીકળવા બાબતે પાલિકાના અધિકારીઓને પણ પ્રાથમિક તપાસમાં કશું પણ બહાર ન આવતા આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. એક કિલોમીટરના રહેણાંક વિસ્તારમાં ચાલતી કોઇ ગેરકાયદે પ્રવૃતિને લઇ ગટરમાંથી સફેદ ફીણ બહાર આવી રહ્યું હોવાની લોકોમાં ચર્ચાઓ ઉઠી રહી છે.

10 દિવસથી નીકળતા સફેદ ફીણથી લોકો પરેશાન


સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રાત્રીના એક વાગ્યા બાદ જ ગટરમાંથી કેમિકલયુક્ત સફેદ ફીણ રોડ ઉપર આવેલી ગટરમાંથી બહાર આવી રહ્યું છે. આ એક અજીબો-ગરીબ ઘટના છે. લગભગ એક કિલોમીટરના વિસ્તારમાં મોટાભાગની સોસાયટીઓ આવેલી છે. રહેણાંક વિસ્તારમાં કોઇ ગેરકાયદે પ્રવૃતિ ચલાવતા હોય અને તેમાં વપરાતા કેમિકલમાંથી નીકળતા સફેદ ફીણને ગટરમાં નાખતા હોય એવું પણ અનુમાન કરાઇ રહ્યું છે. છેલ્લા 10 દિવસથી નીકળતા આ ફીણની દુર્ગંધને લઇ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પોલીસ અને પાલિકાના અધિકારીઓ રોજ રાત પડેને આવે છે અને જોઇને જતાં રહેતા હોવાનું લોકોએ જણાવ્યું હતું. 

દિવસમાં બે-વાર અરબસાગરમાં ગાયબ થાય છે આ મંદિર, શિવપુત્રે કર્યું'તું નિર્માણ!

દિવસમાં બે-વાર અરબસાગરમાં ગાયબ થાય છે આ મંદિર, શિવપુત્રે કર્યું'તું નિર્માણ!

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભારતનું સૌથી રહસ્યમય મંદિર છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરને અદ્રશ્ય થનાર મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરને અદ્રશ્ય થતું મંદિર કહેવા પાછળ એક અનોખી ઘટના છે. તે ઘટના વર્ષમાં ઘણીવાર જોવા મળે છે, જેના કારણે આ મંદિર પોતાનામાં જ ખૂબ ખાસ છે.


ક્યાં છે આ અનોખું મંદિરઃ-

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી લગભગ 60 કિમીના અંતર પર સ્થિત કવિ કમ્બોઈ ગામમાં છે. આ મંદિર અરબ સાગરમાં ખંભાતની ખાડીના કિનારે સ્થિત છે. દરિયાની વચ્ચે સ્થિત હોવાને કારણે તેની સુંદરતાં જોવા લાગ્ય છે. દરિયાની વચ્ચે સ્થિત હોવાને કારણે આ મંદિરનું સૌંદર્ય વધે છે અને સાથે જ એક અનોખી ઘટના પણ જોવા મળે છે.


Tuesday, December 13, 2016

થોળ પક્ષી અભ્યારણમાં વિદેશી પક્ષીઓનો કલરવ - અમદાવાદને અડીને આવેલી છે આ રમણીય જગ્યા, વીકેન્ડમાં મજા કરાવી દેશે!

ઠંડીની શરૂઅાત થવાની સાથે જ નવેમ્બર થી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે રંગબેરંગી અનેક પક્ષીઓથી આયુષ તળાવ આહલાદક બન્યુ છે. ત્યારે 100 જાતના વિદેશી પક્ષીઓનું આગમન થઇ ગયું છે. જેમાં કુંજ, બતક, ફ્લેમિંગો, પેલીકેન, ગ્રે લેગગુસ, કોમનકુટ (ભગતડા), બ્રાહ્મણીડગ, હેરોનરી બર્ડ, કરકરા, સુરખાબ, કોમનક્રેન તેમજ અન્ય સ્થાનિક પક્ષીઓનું આગમન થઇ ગયું છે. 

અમદાવાદને અડીને આવેલી છે આ રમણીય જગ્યા, વીકેન્ડમાં મજા કરાવી દેશે!

અમદાવાદથી માત્ર 25 કિલોમીટર દૂરના અંતરે થોળ તળાવ આવેલું છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ અહીં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. જોકે, આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ પક્ષીઓ અહીં મહેમાન બન્યા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે.

150 જાતિઓના પક્ષીઓ

થોળ ગામ નજીક એક તળાવ આવેલું છે. 1912માં ગાયકવાડ શાસન દરમિયાન સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે આ તળાવ બંધાવવામાં આવ્યું હતું. 1988માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 150 જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં 60 ટકા પાણીના પક્ષીઓ છે. ખાસ કરીને સુરખાબ અને સારસ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

શિયાળામાં પ્રેમી પંખીડાઓમાં ફેવરિટ

શિયાળા દરમિયાન અહીં પ્રેમી પંખીડાઓ ખાસ ફરવા આવે છે અને સાથે વિદેશી પક્ષીઓ પણ અહીં પડાવ નાંખે છે. વિદેશી પક્ષીઓને જોવા અને તેમનો મીઠો કલરવ સાંભળવા આવતા પ્રવાસીઓ પણ અહીં આવીને રોમેન્ટિક બની જાય છે અને કેમેરામાં પક્ષીઓને ક્લિક કરવાની સાથે પોતાની મીઠી યાદોના સંભારણાને પણ દિલમાં કંડારી લે છે.

નવું નજરાણું: સમગ્ર દેશમાં ન હોય એવો એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક સુરતમાં

સુરત પાલિકાએ મગોબ ખાતે લોકભાગીદારીથી એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક બનાવ્યો છે. વોટરપાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્કથી શહેરીજનોને હરવા ફરવા માટેનું નવલું નજરાણું શહેરમાં જ મળી રહેવાનું છે. જ્યારે આ એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક અને તેમાં રહેલી 23 જેટલી રાઇડ પૈકી કેટલીક રાઇડનો સમગ્ર દેશમાં ક્યાંય ન હોવાનો દાવો કરાઇ રહ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મૂકાશે ખુલ્લો

એમ્યુઝમેન્ટ પાર્ક અને વોટર પાર્કની મજા માણવા મોટાભાગના લોકો લોનાવાલા સુધી જતા હોય છે. કારણ કે શહેરમાં તેવી સુવિધા ન હોવાના કારણે પાલિકાએ લોકભાગીદારીથી મગોબ ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક કમ વોટર પાર્ક બનાવ્યો છે. જેનું ઉદ્ધાટન 15 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

તમામ રાઇડથી માંડીને મોટાભાગની સામગ્રી વિદેશથી મંગાવાઇ
 
એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક વિકસાવવા માટે 15 એકર જમીનની ફાળવણી થઇ હતી. જેમાં એમ્યુઝમેન્ટ કમ વોટરવાર્ક ઇન્ટરનેશનલ કક્ષાનો બનાવાયો છે. વોટરપાર્કમાં ઉભી કરાયેલી તમામ રાઇડથી માંડીને મોટાભાગની સામગ્રી વિદેશથી મંગાવાઇ છે. તેમજ વિદેશમાં જે રીતે વોટર પાર્ક હોય તે પ્રમાણેની થીમ પર સમગ્ર વોટરપાર્ક બનાવાયો છે. જેથી તેનું લોકાર્પણ થયા બાદ લોકો વોટરપાર્કમાં જતા વિદેશમાં હોય તેવો અનુભવ થવાની પુરેપુરી શક્યતા રહેલી છે.

સમગ્ર દેશમાં આવો વોટર પાર્ક ન હોવાનો દાવો

મગોબના વોટર પાર્ક અને તેમાં રહેલી 23 જેટલી રાઇડ પૈકી કેટલીક રાઇડનો સમગ્ર દેશમાં ક્યાંય ન હોવાનો દાવો કરાઇ રહ્યો છે. કારણ કે આ રાઇડમાં વાપરવામાં આવેલા બોલ્ટ સહિતનો સામાન વિદેશથી મંગાવાયો છે. આ પ્રમાણેનો વોટર પાર્ક ડિઝની લેન્ડ, બર્લિન જેવા શહેરોમાં હોય તે પ્રમાણેની રાઇડ તૈયાર કરાઇ છે. જેથી ફરવા આવનાર લોકોને સુરક્ષાથી માંડીને આનંદ કરી શકે તે માટેના તમામ પ્રયાસ કરાયા હોવાનો પણ દાવો કરાય રહ્યો છે.

એક દિવસમાં 2500 લોકો મજા માણી શકશે

આયોજકોએ 2500 ટિકીટ આપી દેવામાં આવ્યા બાદ પ્રવેશ નહીં આપવાનુ નક્કી કર્યુ છે. કારણ કે વધારે પ્રવેશ અપાય તો લોકો વોટરપાર્કની મજા માણી શકે તેમ ન હોવાથી 2500 વ્યક્તિઓ પછી પ્રવેશ નહીં આપવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે.

વિદેશની થીમ પર વોટરપાર્કનું આયોજન

  1. 15 એકર જમીનનો ઉપયોગ
  2. 2500 સહેલાણીઓ રોજ મજા માણી શકશે
  3. 1500 રૂ. સુધીનો દર વ્યક્તિ દીઠ

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies