Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: Mahadev Temples In Gujarat
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places
Showing posts with label Mahadev Temples In Gujarat. Show all posts
Showing posts with label Mahadev Temples In Gujarat. Show all posts

Thursday, January 5, 2017

આણંદના જીટોડિયા ગામમાં આવેલ શિવલિંગનું 1000 વર્ષ જુનું રહસ્ય અકબંધ, શિવલિંગમાંથી નીકળે છે પાણી

આણંદથી ૩ કિલોમીટર દુર આવેલા જીટોડિયા ગામના વૈજનાથ મહાદેવ મંદિરમાં હજારો વર્ષોથી એક રહસ્ય છુપાયેલું છે. આ મંદિરમાં આવેલા શિવલિંગમાંથી પાણી નીકળે છે અને આ પાણી કેવી રીતે નીકળે છે એ રહસ્યનો વિષય બની ગયું છે. આ મંદિર વિષે એવું કહેવાય છે કે જ્યારે ભીમે રાક્ષસી હિડંબા સાથે લગ્ન કર્યા ત્યાર પછી તે અહીંયા રોકાયો હતો અને તે શિવ ભક્તિ માટે આ શિવલિંગની પૂજા કરતો હતો. સમય વીતતાં કુદરતી આફતોને કારણે આ શિવલિંગ જમીનમાં દટાઈ ગયું હતું અને વર્ષો સુધી જમીનમાં દટાયેલું રહ્યું હતું.
શિવલિંગ પર 25 જેટલા છિદ્રો છે જેમાંથી ગંગા જેવું પવિત્ર જળ નીકળ્યાં જ કરે છે


ખોદકામ કરતાં જમીનમાંથી મળી આવ્યું હતું શિવલિંગ

ઇ.સ. 1212માં ગુજરાતમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. આ ગામના એક ગોવાળિયાની ગાય વાંરવાર આ સ્થળે દૂધ જરી દેતી હતી અને આ જગ્યાએ ગોવાળિયાઓએ ખોદકામ કર્યું હતું. ખોદકામ કરતાં જમીનમાંથી આ શિવલિંગ મળી આવ્યું હતું અને જેમાં ઘા વાગવાથી ખંડિત થયું હતું. જ્યારે શિવલિંગ બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેમાં પડેલા છિદ્રોમાંથી પાણી નીકળતાં લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા અને સિદ્ધરાજ જયસિંહ સુધી આ વાત પહોંચી અને સિદ્ધરાજ જયસિંહે મંદિરનો જીણોધાર કરાવ્યો હતો અને શિવલિંગનું મંદીરમાં સ્થાપન કર્યું હતું.

અધિકારીઓ પણ આ ચમત્કારને સમજી શક્ય ન હતા

મોઘલોના શાસન દરમિયાન હુમલામાં આ મંદિરને નુકસાન કરવામાં આવ્યું હતું પરંતુ શિવલિંગમાંથી નીકળતું પાણી ચાલુ જ રહ્યું હતું. આ ઘટના પછી સદીઓ વીતી ગઈ અને 1913માં બ્રિટીશ સરકારના ખેડા કલેક્ટરે ભૂસ્તર વિભાગને આ રહસ્ય સમજવાની જવાબદારી સોંપી હતી પણ તે અધિકારીઓ પણ આ ચમત્કારને સમજી શક્ય ન હતા.



Monday, December 26, 2016

સુખડીના વિશેષ પ્રસાદને લીધે દુનિયામાં જાણીતું બન્યું છે ગુજરાતનું આ જૈન મંદિર

ગુજરાતનાં મહત્ત્વનાં દર્શનીય અને પવિત્ર તીર્થધામો પૈકીનું એક જૈન ધર્મનું મહુડી તીર્થધામ છે. મહુડીમાં મૂળનાયક પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું 24 તીર્થંકર ભગવંતની દેરીસહિતનું જિનાલય આવેલું છે. આ મંદિરની પ્રતિષ્ઠા યોગનિષ્ઠ આ.ભ. શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીના હસ્તે કરવામાં આવી હતી. જૈનશાસનના બાવન વીરો પૈકી ત્રીસમા વીર ઘંટાકર્ણ મહાવીર દેવની પ્રતિષ્ઠા પણ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીએ કરેલ છે. આમ મહુડીમાં તીર્થંકર ભગવાનનાં દર્શનની સાથે ધનુર્ધારી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને અહીંનો સુખડીનો પ્રસાદ એ ભાવિકો માટે સંભારણું બની રહે છે. આ પ્રસાદ ઘરે કે મંદિરની બહાર લઇ જઇ શકાતો નથી તે પણ એક વિશેષતા છે.
આ સુપ્રસિદ્ધ મંદિરનો ઇતિહાસ જોઇએ તો સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન મહુડી ગામમાં પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરને કારણે મહુડી ગામ ભયમાં આવી જતાં અગ્રણી જૈનોએ નવું ગામ વસાવી ત્યાં વસવાટ કરી નૂતન જિનાલય બનાવી મૂળ નાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્વરસ્વામીની પ્રતિષ્ઠા સંવત 1974માં માગશર સુદ 6ના દિવસે આચાર્ય બુદ્ધિસાગર સુરિશ્વરજી દ્વારા કરવામાં આવી તથા પૂ. ગચ્છાધિપતિ કૈલાસસાગર સૂરિશ્વરજી અને પૂ. સુબોધસાગર સુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં 27 જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારથી આ મહાન તીર્થનો વિકાસ થયો. 
ત્યારબાદ વિ.સંવત 2039માં કૈલાસાગર સુરિશ્વરજી અને સુબોધસાગર સુરિશ્વરજીની પ્રેરણાથી જિનાલયનો જીર્ણોદ્ધાર કરી મૂળનાયક પદ્મપ્રભુ ભગવાન, જમણી બાજુ શ્રેયાંસનાથ અને શાંતિનાથ ભગવાન તથા ડાબી બાજુ શીતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી. 

Friday, December 16, 2016

ગુજરાતના આ ગામમાં છે રામ ટેકરી, જ્યાં આજે પણ છુપાયેલું છે એક રહસ્ય..

ગુજરાતના આ ગામમાં છે રામ ટેકરી, જ્યાં આજે પણ છુપાયેલું છે એક રહસ્ય..

આઝાદ ભારત વખતે 1962માં ઝીયોલોજી વિભાગે પણ ખોદકામ કરતા અમુલ્ય સિક્કા અને દ્રવ્યો મળ્યા હતા..

ભરૂચ અને અંકલેશ્વર ભૂમિ એ તપોભૂમિ અને અધ્યાત્મ ભૂમિ તરીકે પૌણારીક ધર્મગ્રંથોમાં આજે પણ ઉલ્લખ જોવા મળે છે. હિડીમ્બાવન અને ધન્વંતરી વન તરીકે પ્રચલિત અંકલેશ્વર ખાતે આવેલ નાંગલ એક બંદર તરીકે જગ વિખ્યાત હતું અને માં નર્મદાના કિનારે આવેલા નાંગલ ગામ ખાતે મર્યાદા પુરષોત્તમ ભગવાન રામે કરેલા અશ્વમેધ યજ્ઞના રાખના ટેકરા રૂપે બનેલ રામ ટેકરી એક રહસ્ય આજે પણ બની રહેવા પામી છે.


અંકલેશ્વર નાંગલ ગામ ખાતે આવેલ રામ ટેકરી એક રહસ્ય

21મી સદીની પેઢી આજે બહુ જુજ અંકલેશ્વરના પૌણારીક અને ધાર્મિક તપો ભૂમિ વિષે જાણકાર છે એક સમયે નર્મદા નદી અંકલેશ્વર હાલના નગરમાંથી વહેતી હતી અને માંડ 5 કિમીના અંતરે આવેલા નાંગલ ગામ એક નાંગલ બંદર તરીકે જગ વિખ્યાત હતું. મોટા મોટા વહાણો અહીં લંગર લડતા હોવાથી તેનું નામ નાંગલ પડ્યું છે. ત્યારે પૌણારીક ગ્રંથો અને નર્મદા પુરણમાં ઉલ્લેખ મુજબ ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં પસાર થયા હતા. ભગવાન રામે માં નર્મદાના પવિત્ર નાંગલ ધાત પર અશ્વમેધ યજ્ઞ કર્યો હતો જે યજ્ઞમાં ઉત્પન થયેલ રાખનો ઢગલો આજે રામ ટેકરી તરીકે ઓળખાય છે. જે બાબતે આજની પેઢી બહુ જુજ માહિતી ધરાવે છે.


1962માં ઝીયોલોજી વિભાગે પણ ખોદકામ કરતા અમુલ્ય સિક્કા મળ્યા હતા

ભગવાન રામે યજ્ઞ બાદ અશ્વમેધ માટે રહેલ રથ આ યજ્ઞ સ્થળે હોમ્યું હતું. જે રથ માટે મોગલ, ગાયકવાડ સહીત અનેક રાજા રજવાડાએ પ્રયત્ન કર્યા હતા. પરંતુ તે રખના ઢગલામાંથી નીકળતા ભમરાના ઝુંડે ખોદકામના કરવા દેતાં ખરેખર રામ ટેકરીમાંથી નીકળતી રાખનું રહસ્ય આજે પણ અંકબંધ રહ્યું છે. તો આજે પણ જ્યાં પણ રામ ટેકરી પર ખોડો ત્યાં રાખજ નીકળે છે. 1962માં ભારત સરકારના જીયોલોજી વિભાગે અહીં ખોદકામ કર્યું હતું. જેમાંથી અનેક રત્ન, સીક્કા, તેમજ હાડકા નીકળા હતા. જેન અભ્યાસ તેમજ સંગ્રાહલયમાં મુકવા લઈ ગયા હતા. સંજોગો વસાત જેતે વખતે કામગીરી અટકી જતાં આજેપણ રામ ટેકરીમાંથી નીકળતી રાખનું મૂળ રહસ્ય અંકબંધ રહેવા પામ્યું છે.

ભારત આઝાદ થયા બાદ જીયોલોજી વિભાગે રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો

લોક વાયકા અને પૌણારિક ધર્મગ્રંથોના આધાર પ્રમાણે વડીલો પાર્જીતથી ચાલી આવતી વાત મુજબ નાંગલ ગામ નર્મદા કિનારે આવેલ એક અત્યંત સમૃદ્ધ બંદર હતું અને વહાણો જે લગાડતા હતા તેના પરથી નાગલ ગામ નામ પડ્યું હતું અને ભગવાન રામે અહીં અશ્વમેધ યજ્ઞ કર્યો હતો તે સ્થળ આજે રામ ટેકરી તરીકે જાણીતું છે. બ્રામણ યજ્ઞ ઓછા પડતા યજ્ઞની આહુતિ માટે સજોદના પટેલ લોકોને ભગવાન રામે સિદ્ધ રુદ્ર કરી બ્રામણ તરીકે પ્રસ્થાપિત કર્યાં હતા અને રામ ટેકરીના રહસ્ય અને ભગવાન રામે હોમેલ રથ મેળવા માટે બરોડા સ્ટેટના ગાયકવાડ રાજાએ પણ ખોદકામ કર્યું હતું તો અમારી નજરો સમક્ષ સરકારના જીયોલોજી વિભાગે પણ ખોદકામ કર્યું હતું જેમાંથી રત્ન, સીક્કા, તેમજ હાડકાં નીકળ્યાં હતાં જેન અભ્યાસ તેમજ સંગ્રાહલયમાં મુકવા લઈ ગયા હતા. - કેશવ પટેલ, ગામ અગ્રણી અને નિવૃત શિક્ષક, નાગલ..


પૂર્વજોને સિદ્ધ કરી રુદ્ર કરી સજોદ્રા પટેલ બ્રામણ તરીકે પ્રસ્થાપિત કર્યાં

નાંગલ ગામ ખાતે ભગવાન રામે કરેલ અશ્વમેધ યજ્ઞ વખતે આહુતિ માટે બ્રામણ ખૂટતા ભગવાન રામે ભગવાન શિવની આરાધના કરી સજોદ રુદ્ર કુંડ જે હાલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે પણ છે ત્યાં અમારા પૂર્વજોને સિદ્ધ કરી રુદ્ર કરી સજોદ્રા પટેલ બ્રામણ તરીકે પ્રસ્થાપિત કર્યાં હતાં આજે પણ અમે સિદ્ધ રુદ્ર સજોદ્રા પટેલ બ્રામણ તરીકે ઓળખાય છે. બસ કર્મકાંડ અમે નથી જે બાબતે અમારા પૂર્વજો દ્વારા પેઢી દર પેઢીથી ચાલી આવ્યું છે અને જાણકારી વડીલો આપી રહ્યા છે.





કોળિયાક નજીક દરિયા વચ્ચે પાંચ પાંડવોએ રેતીથી બનાવેલું જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ..

કોળિયાક નજીક દરિયા વચ્ચે પાંચ પાંડવોએ રેતીથી બનાવેલું જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ..

ભાવનગરથી 23 કિમી દૂર કોળિયાક નજીક દરિયા વચ્ચે પાંચ પાંડવોએ રેતીથી બનાવેલું જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ આવેલું છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભાવનગરથી 23 કિમી દૂર આવેલ કોળિયાક ખાતે દર વર્ષે ભાદરવી અમાસે બે લાખ કરતાં પણ વધુ ભાવિકો દરિયાનું પવિત્ર સ્નાન કરી પુણ્ય કમાય છે. પાંડવો અહીં કાૈરવો સામેના મહાભારતના યુદ્ધ બાદ પાપમાંથી મુક્ત થયા હોવાથી આ સ્થળ નિષ્કલંક તરીકે વિખ્યાત છે.


આ શિવલિંગની સ્થાપના અંગે લોકવાયકા જોઇએ તો કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો કૌરવ સહિત અનેક મોતને ભેટતા પાંચ પાંડવોને થયું કે આપણા માથે કલંક ચડ્યું છે. આથી તે દૂર કરવાનો ઉપાય પૂછવા તેઓ દુર્વાસા ઋષિ પાસે ગયા. આથી તેમણે ઉપાય જણાવ્યો કે, તમો હાથમાં કાળી ધજા રાખી દરિયાને કાંઠે કાંઠે ચાલતા જાવ. એક કાંઠે એવી પવિત્ર ધરતી આવશે કે જ્યાં નહાવાથી તમારી ધજા કાળીમાંથી ધોળી થઇ જાય ત્યારે માનજો કે તમારા માથેથી કલંક ટળી ગયું. પાંડવોએ આથી દુર્વાસા ઋષિને પૂછ્યું કે આ જગ્યા અમને મળશે ક્યાં? ત્યારે દુર્વાસા ઋષિ કહે કે બાર વર્ષે એક વાર ધ્રુવ છઠ આવે ત્યારે ગંગા-જમનાનો પ્રવાહ દરિયામાં ભળે છે. અને તેમાંથી એક મોજું છૂટું પડે છે. તે મોજામાં સ્નાન કરવાથી તમારા માથેથી કલંક ઊતરી જશે. છતાં તમે સહદેવને પૂછશો તે તમને જણાવશે. પાંચેય પાંડવો કાળી ધજા લઇ દરિયાકાંઠે ચાલતા ચાલતા અનેક જગ્યાએ ફર્યા. રસ્તામાં ગોહિલવાડની ધરતી પર આવી પહોંચી તેમાં મીઠી વીરડી નામનું ગામ આવ્યું. પાંચેય પાંડવો અત્રે રોકાયા. આ ગામમાં તમે આજે પણ જાવ તો ભીમના ઢોલિયાના પાયા પડેલા જોવા મળશે. હજુ પણ લોકો તેનાં દર્શન માટે જાય છે. પાંડવો ગોહિલવાડમાં આવ્યા હોવાનો આ પુરાવો છે. બાર વર્ષ પછી ફરી ધ્રુવ છઠનો પવિત્ર દિવસ આવ્યો ત્યારે સમુદ્ર જ્યાં ઘૂઘવાટા કરતો હતો તે દરિયામાં પાંડવોએ સ્નાન કરી ધજા સામે જોયું તો તે કાળીમાંથી ધોળી થઇ ગઇ હતી. આથી પાંડવો પરથી કલંક ઊતરી ગયું. ભોળાનાથે પાંડવોને દર્શન આપ્યાં. આથી પાંડવોએ ભોળાનાથને વિનંતી કરી કે, પ્રભુ અમને દર્શન આપ્યાનું આ જગ્યામાં પ્રમાણ આપવું પડશે. આથી સદાશિવે પાંચેય પાંડવોને કહ્યું કે મારું તમે રેતીથી શિવલિંગ બનાવો. આ પવિત્ર જગ્યા પરથી તમારું કલંક નાબૂદ થયું હોવાથી તે નિષ્કલંક તરીકે ઓળખાશે. આ જ્યોતિર્લિંગમાં મારો વાસ રહેશે. 

Wednesday, December 14, 2016

દિવસમાં બે-વાર અરબસાગરમાં ગાયબ થાય છે આ મંદિર, શિવપુત્રે કર્યું'તું નિર્માણ!

દિવસમાં બે-વાર અરબસાગરમાં ગાયબ થાય છે આ મંદિર, શિવપુત્રે કર્યું'તું નિર્માણ!

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભારતનું સૌથી રહસ્યમય મંદિર છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરને અદ્રશ્ય થનાર મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરને અદ્રશ્ય થતું મંદિર કહેવા પાછળ એક અનોખી ઘટના છે. તે ઘટના વર્ષમાં ઘણીવાર જોવા મળે છે, જેના કારણે આ મંદિર પોતાનામાં જ ખૂબ ખાસ છે.


ક્યાં છે આ અનોખું મંદિરઃ-

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી લગભગ 60 કિમીના અંતર પર સ્થિત કવિ કમ્બોઈ ગામમાં છે. આ મંદિર અરબ સાગરમાં ખંભાતની ખાડીના કિનારે સ્થિત છે. દરિયાની વચ્ચે સ્થિત હોવાને કારણે તેની સુંદરતાં જોવા લાગ્ય છે. દરિયાની વચ્ચે સ્થિત હોવાને કારણે આ મંદિરનું સૌંદર્ય વધે છે અને સાથે જ એક અનોખી ઘટના પણ જોવા મળે છે.


Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies