Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: ગુજરાતના આ ગામમાં છે રામ ટેકરી, જ્યાં આજે પણ છુપાયેલું છે એક રહસ્ય..
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Friday, December 16, 2016

ગુજરાતના આ ગામમાં છે રામ ટેકરી, જ્યાં આજે પણ છુપાયેલું છે એક રહસ્ય..

ગુજરાતના આ ગામમાં છે રામ ટેકરી, જ્યાં આજે પણ છુપાયેલું છે એક રહસ્ય..

આઝાદ ભારત વખતે 1962માં ઝીયોલોજી વિભાગે પણ ખોદકામ કરતા અમુલ્ય સિક્કા અને દ્રવ્યો મળ્યા હતા..

ભરૂચ અને અંકલેશ્વર ભૂમિ એ તપોભૂમિ અને અધ્યાત્મ ભૂમિ તરીકે પૌણારીક ધર્મગ્રંથોમાં આજે પણ ઉલ્લખ જોવા મળે છે. હિડીમ્બાવન અને ધન્વંતરી વન તરીકે પ્રચલિત અંકલેશ્વર ખાતે આવેલ નાંગલ એક બંદર તરીકે જગ વિખ્યાત હતું અને માં નર્મદાના કિનારે આવેલા નાંગલ ગામ ખાતે મર્યાદા પુરષોત્તમ ભગવાન રામે કરેલા અશ્વમેધ યજ્ઞના રાખના ટેકરા રૂપે બનેલ રામ ટેકરી એક રહસ્ય આજે પણ બની રહેવા પામી છે.


અંકલેશ્વર નાંગલ ગામ ખાતે આવેલ રામ ટેકરી એક રહસ્ય

21મી સદીની પેઢી આજે બહુ જુજ અંકલેશ્વરના પૌણારીક અને ધાર્મિક તપો ભૂમિ વિષે જાણકાર છે એક સમયે નર્મદા નદી અંકલેશ્વર હાલના નગરમાંથી વહેતી હતી અને માંડ 5 કિમીના અંતરે આવેલા નાંગલ ગામ એક નાંગલ બંદર તરીકે જગ વિખ્યાત હતું. મોટા મોટા વહાણો અહીં લંગર લડતા હોવાથી તેનું નામ નાંગલ પડ્યું છે. ત્યારે પૌણારીક ગ્રંથો અને નર્મદા પુરણમાં ઉલ્લેખ મુજબ ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં પસાર થયા હતા. ભગવાન રામે માં નર્મદાના પવિત્ર નાંગલ ધાત પર અશ્વમેધ યજ્ઞ કર્યો હતો જે યજ્ઞમાં ઉત્પન થયેલ રાખનો ઢગલો આજે રામ ટેકરી તરીકે ઓળખાય છે. જે બાબતે આજની પેઢી બહુ જુજ માહિતી ધરાવે છે.


1962માં ઝીયોલોજી વિભાગે પણ ખોદકામ કરતા અમુલ્ય સિક્કા મળ્યા હતા

ભગવાન રામે યજ્ઞ બાદ અશ્વમેધ માટે રહેલ રથ આ યજ્ઞ સ્થળે હોમ્યું હતું. જે રથ માટે મોગલ, ગાયકવાડ સહીત અનેક રાજા રજવાડાએ પ્રયત્ન કર્યા હતા. પરંતુ તે રખના ઢગલામાંથી નીકળતા ભમરાના ઝુંડે ખોદકામના કરવા દેતાં ખરેખર રામ ટેકરીમાંથી નીકળતી રાખનું રહસ્ય આજે પણ અંકબંધ રહ્યું છે. તો આજે પણ જ્યાં પણ રામ ટેકરી પર ખોડો ત્યાં રાખજ નીકળે છે. 1962માં ભારત સરકારના જીયોલોજી વિભાગે અહીં ખોદકામ કર્યું હતું. જેમાંથી અનેક રત્ન, સીક્કા, તેમજ હાડકા નીકળા હતા. જેન અભ્યાસ તેમજ સંગ્રાહલયમાં મુકવા લઈ ગયા હતા. સંજોગો વસાત જેતે વખતે કામગીરી અટકી જતાં આજેપણ રામ ટેકરીમાંથી નીકળતી રાખનું મૂળ રહસ્ય અંકબંધ રહેવા પામ્યું છે.

ભારત આઝાદ થયા બાદ જીયોલોજી વિભાગે રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો

લોક વાયકા અને પૌણારિક ધર્મગ્રંથોના આધાર પ્રમાણે વડીલો પાર્જીતથી ચાલી આવતી વાત મુજબ નાંગલ ગામ નર્મદા કિનારે આવેલ એક અત્યંત સમૃદ્ધ બંદર હતું અને વહાણો જે લગાડતા હતા તેના પરથી નાગલ ગામ નામ પડ્યું હતું અને ભગવાન રામે અહીં અશ્વમેધ યજ્ઞ કર્યો હતો તે સ્થળ આજે રામ ટેકરી તરીકે જાણીતું છે. બ્રામણ યજ્ઞ ઓછા પડતા યજ્ઞની આહુતિ માટે સજોદના પટેલ લોકોને ભગવાન રામે સિદ્ધ રુદ્ર કરી બ્રામણ તરીકે પ્રસ્થાપિત કર્યાં હતા અને રામ ટેકરીના રહસ્ય અને ભગવાન રામે હોમેલ રથ મેળવા માટે બરોડા સ્ટેટના ગાયકવાડ રાજાએ પણ ખોદકામ કર્યું હતું તો અમારી નજરો સમક્ષ સરકારના જીયોલોજી વિભાગે પણ ખોદકામ કર્યું હતું જેમાંથી રત્ન, સીક્કા, તેમજ હાડકાં નીકળ્યાં હતાં જેન અભ્યાસ તેમજ સંગ્રાહલયમાં મુકવા લઈ ગયા હતા. - કેશવ પટેલ, ગામ અગ્રણી અને નિવૃત શિક્ષક, નાગલ..


પૂર્વજોને સિદ્ધ કરી રુદ્ર કરી સજોદ્રા પટેલ બ્રામણ તરીકે પ્રસ્થાપિત કર્યાં

નાંગલ ગામ ખાતે ભગવાન રામે કરેલ અશ્વમેધ યજ્ઞ વખતે આહુતિ માટે બ્રામણ ખૂટતા ભગવાન રામે ભગવાન શિવની આરાધના કરી સજોદ રુદ્ર કુંડ જે હાલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે પણ છે ત્યાં અમારા પૂર્વજોને સિદ્ધ કરી રુદ્ર કરી સજોદ્રા પટેલ બ્રામણ તરીકે પ્રસ્થાપિત કર્યાં હતાં આજે પણ અમે સિદ્ધ રુદ્ર સજોદ્રા પટેલ બ્રામણ તરીકે ઓળખાય છે. બસ કર્મકાંડ અમે નથી જે બાબતે અમારા પૂર્વજો દ્વારા પેઢી દર પેઢીથી ચાલી આવ્યું છે અને જાણકારી વડીલો આપી રહ્યા છે.





No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies