Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: GUjarati Recipe
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places
Showing posts with label GUjarati Recipe. Show all posts
Showing posts with label GUjarati Recipe. Show all posts

Thursday, December 22, 2016

ઘરે જ માણો ગ્રીન ટામેટાંની ખાટી-મીઠી 5 સ્વાદિષ્ટ વાનગીની રેસિપિ!

આજે અમે તમારા માટે ગ્રીન ટોમેટો સ્પેશિયલ વાનગીઓ લઈને આવ્યા છીએ. લીલા ટામેટાં સ્વાદમાં થોડાક ખાટા હોય છે પણ હા સ્વાદ અને ગુણોથી ભરપૂર તો ખરા જ. બસ તો આવા જ સ્વાદિષ્ટ ટામેટાંની અવનવી વાનગીઓ ટ્રાય કરો. સામાન્ય રીતે ગુજરાતી ઘરોમાં લીલા ટામેટાંનું ગોળવાળું શાક બનતું હોય છે. જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે. આજે અમે તમારા માટે તમે નવીનતા તરીકે કઢી શાક અને ગ્રીન સાલ્સા જેવી વાનગીઓ લઈને આવ્યા છીએ. બસ તો પહેલા નોંધી લો આ રેસિપિ અને પછી ટ્રાય કરો તમારા રસોડે. 

લીલા ટામેટાંની કઢી

સામગ્રી

-3 કપ સમારેલા લીલા ટામેટા
-1 કપ નારિયેળનું છીણ
-2 લીલા મરચાં સમારેલા
-1 ટેબલસ્પૂન તેલ
-1/2 ટીસ્પૂન રાઈ
-1/2 ટીસ્પૂન જીરું
-1/2 ટીસ્પૂન હિંગ
-7થી 8 મીઠા લીમડાના પાન
-1/2 ટીસ્પૂન ખાંડ
-1/4 કપ કોથમીર સમારેલી
-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ એક પ્રેશર કૂકરમાં 2 કપ પાણી, ટામેટાં, નારિયેળનું છીણ અને લીલા મરચાં બરાબર મિક્સ કરીને ત્રણ સીટી વગાડી લો. ત્યાર બાદ કુકર ઠંડું થવા દો. બરાબર ઠંડું થઈ જાય એટલે એક કપ પાણી ઉમેરીને તેને બરાબર બ્લેન્ડ કરી લો. એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે તેને ગાળીને એકબાજુ મૂકી દો. હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં જીરું, હિંગ અને મીઠો લીમડો ઉમેરીને સાંતળો. અડધી મિનિટ સાંતળ્યા બાદ તેમાં ટામેટાંની પ્યોરી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, ખાંડ અને કોથમીર ઉમેરીને પાંચથી સાત મિનિટ માટે ચઢવા દો. ગેસ બધ કરીને ગરમા-ગરમ સર્વ કરો

Thursday, December 8, 2016

ગુજરાતનું આ મંદિર 5 હજાર વર્ષ પહેલાં શ્રીકૃષ્ણએ બનાવેલુ, જુઓ અૈતિહાસિક નજારો

સૌથી વધુ પ્રાચીન સ્મારક કે ભવન હોય તો તે જામજોધપુર તાલુકામાં આવેલું ગોપનું મંદિર છે. આ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર ગણાય છે. આ મંદિરના કાળ અને દેવતા બાબતે હજુ પણ વિદ્વાનો એકસૂર નથી. કેટલાક તેને રામ-લક્ષ્મણનું તો કોઇ સૂર્ય મંદિર હોવાનું ગણાવે છે. એક ઐતિહાસિક માન્યતા મુજબ મંદિરમાં વિષ્ણુ-સ્કંદની મૂર્તિઓની પૂજા થતી હોવાનું માને છે.

મંદિરની બાંધણી અને સ્થાપત્ય કળા ઉપરથી તેમાં સિંધના મિરપુર ખાસની અસર દેખાય છે. ડો. આર.એન. મહેતા અને ડો. હસમુખ સાંકળિયાના મતે આ મંદિર પાંચમી સદીનુ હોવાની શક્યતા છે, કારણ કે મિરપુર ખાસના સ્તૂપને સરખાવવામાં આવે તો તેનો સમયગાળો ગોપના મંદિરને બંધબેસતો આવે છે અને કોઇપણ સંજોગોમાં જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ પહેલાનો હોઇ શકે નહીં. બન્ને સ્મારકો ઉપર સેતા બારી, કોતરણી સમાન હોવા છતાં જૂનાગઢ ગોપ કરતા પહેલાનું ગણાય છે. ગોપના મંદિરે વૈદિક હેતુઓ ગુમાવી દીધા છે. વળી મંદિરની આજુબાજુમાંથી પોલીશ્ડ રેડ વેર(લાલ ઠીકરો) ઉપરથી મંદિર ક્ષત્રપ કાલન હોવાની માન્યતા દૃઢ બને છે.

Monday, November 21, 2016

પ્રેગ્નેન્સીથી લઈ ડાયાબિટીસ ને હાર્ટના રોગોમાં લાભકારી છે પનીર, જાણો 10 ફાયદા

પનીર દૂધમાંથી બને છે. જેથી દૂધમાં રહેલાં બધાં જ ન્યૂટ્રિઅન્ટ્સ જેમ કે પ્રોટીન અને કેલ્શિયમ તેમાંથી મળી રહે છે. પનીરમાં ગુડ ફેટ હોય છે. જેથી તે વજન ઉતારવામાં મદદ કરે છે. ડાયટમાં પનીર સામેલ કરવાથી દાંત અને નખ મજબૂત થાય છે. ઓસ્ટિયોપોરોસિસના કારણે થનારા સાંધાના દુખાવામાં આરામ મળે છે. મોટી ઉંમરમાં પણ આ બહુ લાભકારક હોય છે. તેને ખાવાથી મોઢામાં સલાઈવા વધુ બને છે. જેનાથી ડાઈજેશન ઈમ્પ્રૂવ થાય છે. પનીર અનેક પ્રકારના હોય છે. સાદું પનીર, મલાઈ પનીર, મસાલા પનીર, દહીંથી તૈયાર પનીર. મલાઈવાળા પનીરમાં કેલરી વધારે હોય છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે. જેથી ગાયના દૂધમાંથી બનેલ સાદું પનીર બેસ્ટ છે. તો આજે જાણી લો પનીર ખાવાના 10 શ્રેષ્ઠ ફાયદાઓ.


Monday, December 21, 2015

પંચ મહોત્સવ વર્લ્ડ હેરિટેજ પાવાગઢમાં

વર્લ્ડ હેરિટેજ પાવાગઢમાં 23થી 27 ડિસેમ્બર પંચ મહોત્સવ યોજાશે...અમદાવાદ- જગ પ્રસિધ્ધ શક્તિપીઠ પાવાગઢ-ચાંપાનેરમાં 23થી...

Posted by Panchmahal Tourism on Monday, December 21, 2015

મેથીના ગોટા અને દાળવડાને બહું ખવડાવ્યાં હવે બનાવો 'ચાઈનીસ ભજીયા

મેથીના ગોટા અને દાળવડા તો ઘરમાં બહું બનાવ્યાં હવે આપણે બનાવીશું ચાઈનીઝ ભજીયા.

Tuesday, October 27, 2015

ચટાકેદાર 'મિરચી વડાં' બનાવો આ રીતે


મરચાં, બટાકા અને ડુંગળીના કોમ્બીનેશનમાં બનતાં 'મિરચી વડાં' ખાવામાં લાગે છે એકદમ ટેસ્ટી અને બનાવવામાં એકદમ સરળ હોય છે.  જાણો તેની રીત.

સામગ્રી

લીલાં લાંબા મરચાં- ૨૫૦ ગ્રામ
બટાકા - ૨૫૦ ગ્રામ
ડુંગળી- ૧૦૦ ગ્રામ
ચણાનો લોટ - ૧૫૦ ગ્રામ
ખાવાનો સોડા એક ચપટી
તળવા માટે તેલ જરૂરી મુજબ
રાઈ, મીઠું, હળદર, મરચું, હિંગ, ધાણાજીરું જરૂર મુજબ

રીત
  • પહેલા બટાકાને બાફી લો.
  • ડુંગળીને ઝીણી સમારી લો.
  • લસણ, લીલાં મરચાં, વાટી નાખો.
  • બાફેલાં બટાકાની છાલ ઉતારી હાથ વડે મસળી નાખો.
  • એમાં ડુંગળી નાખો.
  • એનો રાઈથી વઘાર કરી મીઠું, હળદર, મરચું અને હિંગ નાખો.
  • ધાણાજીરું પાવડર નાંખી ચમચા વડે હલાવો.
  • એકરસ થાય ત્યારે નીચે ઉતારી લો.
  • લીલાં મરચાંને ધોઈને ઊભા ચીરી નાખો.
  • હવે મરચાંની ફાટમાં તૈયાર થયેલું ઉપર મુજબનું મિશ્રણ ભરો.
  • પછી ખાવાનો સોડા ચણાના લોટમાં નાખી ખીરું તૈયાર કરો.
  • એમાં ભરેલા મિરચી વડાં બોળીને ગરમ કરેલાં તેલમાં તળી લો.
  • તેલ નિતારી બહાર કાઢી લો.
  • આ મિરચી વડાં કોઈપણ ચટણી સાથે પીરસો.

Monday, October 26, 2015

આજે શરદપૂનમ: ચંદ્રદર્શનની સાથે માણો દૂધપૌંઆની લિજ્જત


ગુજરાતમાં આજે શરદપૂનમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. શરદપૂનમના દિવસે ખાસ કરીને નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ચંદ્રદર્શનનું અને સાથે સાથે દૂધપૌંઆનું પણ અનેરું મહત્વ છે. ચંદ્રદર્શન કરેલા ઠંડા દૂધપૌંઆ ખાવાનો રિવાજ છે. જો તમે તમારા રસોડે દૂધપૌંઆ બનાવવાનું વિચારી રહ્યા છો તો નોંધી લો આ સરળ રેસિપિ અને ખુશ કરી દો ઘરના તમામ સભ્યોને. રાતે જમ્યા બાદ તમે આ ઠંડા અને ચંદ્રદર્શન કરાવેલા દૂધપૌંઆની મજા માણવાનું ચૂકશો નહીં.

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies