Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: 2017
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Sunday, July 9, 2017

અમદાવાદની નીપા સિંહે જીત્યો વિશ્વ સુંદરીનો ખિતાબ

 

Miss United Nations - Neepa Singh - Gujju Girl Makes Proud
જમૈકામાં યોજાયેલી 'મિસીસ યુનાઇટેડ નેશન્સ ક્લાસિક સ્પર્ધા'માં અમદાવાદની નીપા સિંહે વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો છે. આ પહેલા નીપા સિંહે મિસિસ ઇન્ડિયા અર્થ સ્પર્ધા'માં ભાગ લીધો હતો, જેમાં તે ફર્સ્ટ રનર અપ બન્યા હતા. ગુજરાતનું ગૌરવ વધારનાર નીપા સિંહની ઉંમર 45 વર્ષની છે અને તેમને 18 વર્ષનો એક પુત્ર પણ છે.

નીપા સિંહના લગ્ન બિહારના રહેવાસી મનીષ સિંહ સાથે થયા છે અને તેમના પતિ મનીષ સિંહ સાથે અમદાવાદમાં જ રહે છે. નીપા સિંહના પિતા વિજાપુરના લાડોલ ગામના નાગર બ્રાહ્મણ છે, પણ તેઓ વર્ષો પહેલા નાગપુરમાં જઇને વસી ગયા હતા. નીપાના પિતાનું જીવન ઘણું સંઘર્ષમાં વીત્યુ છે, પણ પુત્રી નીપાનો ઉછેર તેમણે એક રાણીના જેમ કર્યો હતો.
અમદાવાદની નીપા સિંહે જીત્યો વિશ્વ સુંદરીનો ખિતાબ 



18 વર્ષની ઉંમરે નીપા સિંહે લડી હતી લડત

નીપા સિંહનો જન્મ નાગપુરમાં રહેતા મધ્યમ વર્ગના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. નીપા સિંહે આર્થિક ભીંસને કારણે તેમણે પિતાને મદદ કરવા ઓછી ઉંમરે નોકરી કરવાનું શરૂ કર્યું. તેમને વર્ષની ઉંમરે નાગપુરની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકેની કામગીરી બજાવવી પડી હતી. સ્કૂલ 8થી 10 કિલોમીટર દૂર હોવાથી સાઈકલ પર જવું પડતું હતું. ટીચરે સાડી પહેરવી ફરજિયાત હતી. પરંતુ સાડી પહેરીને સાઈકલ ચલાવવામાં તેમને તકલીફ પડતી હતી.
તેમની સાડી સાઈકલની ચેનમાં ભરાઈ જતી હતી. જેથી તેમણે કુર્તા- પાયજામા પહેરવા પરવાનગી માગી. તો સંચાલકોએ ઈન્કાર કર્યો. તે માટે તેમને લડત આપવી પડી. નીપા સિંહે સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેમની ઉંમર હજુ ૧૮ વર્ષની પણ થઈ નથી. જેથી તે 8 થી 10 કિલોમીટર સાડી પહેરીને સાઈકલ ચલાવી ન શકે. સ્કૂલના બીજા શિક્ષકો પેન્ટ-શર્ટ કે જીન્સ પહેરીને આવે છે.
તેમને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમે ધોતી-ઝભ્ભો પહેરવાનું કેમ કહેતા નથી ? પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે આવો ભેદભાવ શા માટે ? મને સલવાર-કૂર્તો પહેરવાની પરવાનગી નહીં મળે તો હું રાજીનામું આપી દઈશ. નાની ઉંમરે મારી આ મક્કમ દલીલો બાદ તેમની જીત થઇ અને તેમને કુર્તા પાયજામા પહેરવા પરવાનગી મળી. 
'પતિના સપોર્ટ વગર હું માત્ર ગૃહિણી જ છું'

નીપા સિંઘ ગૃહિણી છે, પણ સપના સાકાર કરવાની જીદ તેને અહીં સુધી પહોંચાડ્યા છે. નીપા સિંઘ સફળતાનો શ્રેય પતિને આપતાં જણાવે છે, મારો જે કામમાં રસ હોય તે કામ કરવા માટે મારા પતિ મને હંમેશા સપોર્ટ કરવાની સાથે આત્મવિશ્વાસ પૂરો પાડે છે. તેમના સપોર્ટ વગર હું માત્ર ગૃહિણી છું. જ્યારે તેના પતિનું કહેવું છે કે, મને મારી પત્ની પર ગર્વ છે. તે ખૂબ જ સરળ રીતે પોતાના કામની સાથે પરિવારની દેખરેખ રાખે છે.'








Friday, June 30, 2017

મોનસૂનમાં અહીં જોવા મળે છે અદભૂત પ્રાણીઓ, જુઓ ભાગ્યેજ જોવા મળતા PICS

મોનસૂનમાં અહીં જોવા મળે છે અદભૂત પ્રાણીઓ, જુઓ ભાગ્યેજ જોવા મળતા PICS

ગુજરાત કુદરતી સંપદાઓથી ભરેલું છે, ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિ.મીનો દરિયા કાંઠો છે અને એક પ્રવાસન સ્થળ તરીકે આ દરિયા કિનારો ઉભરી રહ્યો છે, સોમનાથ હોય, દ્વારિકા હોય, પોરબંદર હોય કે પછી જામનગર અને કચ્છ બધે જ આપણને કંઇક કંઇક કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળી રહે છે, જોકે આજે વાત એક એવા દરિયા કાંઠાની કરવાની છે, જે ગુજરાતનો સૌથી સ્વચ્છ દરિયા કાંઠો માનવામાં આવે છે. બેટ દ્વારિકા પાસે આવેલો ડન્ની પોઇન્ટ પોતાની સુંદરતા અને સ્વચ્છતાના કારણે હંમેશા પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે.  જો મોસમ એવી હોય અને કિસ્મત હોય તો આ દરિયામાં ડોલફિન જોવા મળે છે કારણ કે એ અનૂકુળ મોસમમાં જ બહાર આવે છે. 


 
ગુજરાતના અન્ય દરિયા કિનારાની સરખામણીએ સ્નાન લેવા અને સનબાથ માટે આ કાંઠો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ આ બીચ પર તમને એનેક કુદરતી સંપદાઓ પણ જોવા મળે છે. બીચની સુંદરતા અને સ્વચ્છતાના કારણે દરિયાઇ જીવો પણ આપણને સહજતાથી જોવા મળી રહે છે. દરિયાની રાણી સમાન ગણાતી ડોલફિન્સ આપણને અહી જોવા મળી જાય છે અને એટલા માટે જ અહી પ્રવાસીઓની ભીડ પણ સારી એવી જોવા મળે છે. આ સ્થળે પ્રેમની અનુભૂતિ કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે અહીનો નજારો રમણીય અને પ્રેમને વધુ ગાઢ બનાવે તેવો હોય છે.
 
 
ડન્ની પોઇન્ટ્સના આકર્ષણ અંગે વાત કરીએ તો ડોલફિન્સ, મરીન ટર્ટલ્સ, જેલી ફીશ, સી ફેધર, સી અનેમનિ, બ્રિસ્ટલ વોર્મ્સ, કોરલ્સ, મલૌસ્ક્સ, ક્રેબ્સ, સ્ટારફીશ, સી કૂકમ્બર, બાર્નકલ્ સહિતના દરિયાઇ જીવો જેવા આકર્ષણ જોવા મળે છે. ડન્ની પોઇન્ટ્સની મુલાકાત દરમિયાન ડોલફિન્સને કેમેરામાં કંડારવાની આહલાદક તક અને અનુભવ મળી રહે છે, જેને માણવાનુ પ્રવાસીઓ ક્યારેય ચૂકતા નથી. આ ઇકો ટૂરિઝમ સાઇટ્સ પર તમે અનેક પ્રકારની એક્ટિવિટી કરી શકો છો. જેમકે નેચર ગેમ્સ, કોસ્ટલ ટ્રેકિંગ, મરિન લાઇવ ઓબ્ઝર્વેશન, કેમ્પ ફાયર, લર્ન નેવિગેશન, ડોલફિન શૂટિંગ, બીચ કેમ્પિંગ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, કોરલ રીફ જોઇ શકો છો, સન સેટની મજા માણી શકો છો. જ્યારે તમે આ બીચની મુલાકાત લો ત્યારે સાથે જરૂરી ક્લોથ્સ,  લાઇટ વુલેન વીઅર, કેમેરા જેવી સામગ્રી લઇ જવાનું ન ભૂલો. ડન્ની પોઇન્ટ દ્વારિકાથી 30 કિ.મી દૂર આવેલું છે ત્યાં જવા માટે તમને અનેક ટ્રાન્સપોર્ટેશનના સાધનો મળી શકે છે.











 

Sunday, January 8, 2017

ગુજરાતનું આ હિલ્સ સ્ટેશન છે Natural Beautyથી ભરપૂર, જુઓ અદભૂત નજારો

વિલ્સન હિલ ધરમપુરમાં આવેલુ છે. જે દક્ષિણ ગુજરાતનું સૌથી સુંદર અને જોવાલયક સ્થળ માનુ એક છે. વલસાડમાં ડુંગરાળ પ્રદેશો છે જે શિયાળા - ચોમાસામાં કુદરતી સૌદર્યથી ખીલી જાય છે. 

તો બીજી તરફ ધરમપુરમાં આવેલ પંગારબારી ગામમાં આવેલ વિલ્સન હિલ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ખીલી જાય છે અને સાથે સાથે આ હિલ ડુંગરની ટોચ પર હોવાથી તેના પર અથડાતા વાદળોથી તેનો નજારો કઇક અલગ જ હોય છે. 

જેના કારણસર આ હિલની મુલાકાતે અસંખ્ય પ્રવાસીઓ આવતા હોય છે અને આ કુદરતી સૌદર્યની મજામાણતા જોવા મળે છે. મિત્રો સાથે વેકેશનની મસ્તી વગેરે માટેનું તો ખાસ પ્લાનિંગ થતું રહે છે ત્યારે ગુજરાતના આ હિલની મુલાકાતે જરૂર જવું જોઇએ. 



અમદાવાદીઓએ ‘કાઈટ ફેસ્ટિવલ’ની માણી મજા: વિદેશી યુવતીઓએ ચગાવ્યો પતંગ

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2017નો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. આ પતંગ મહોત્સવ 7 દિવસ સુધી એટલે કે 14મી જાન્યુઆરી સુધી ચાલશે. આ મહોત્સવમાં અમદાવાદના સહિત વિદેશીઓ પણ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં લોકએ પતંગ ચગાવીને મજા માણી હતી.


સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાર્થક કરીએ: રૂપાણી

કાઈટ ફેસ્ટિવલ દરમિયાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી શરૂ થયું હતું જેનાથી મકરસંક્રાંતિ એકદમ લાઈવ બની છે. આ કાઈટ ફેસ્ટિવલ સાથે ગુજરાત સરકારે ‘કરૂણા અભિયાન’ પણ શરૂ કર્યું છે. આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે કાર્યક્રમમાં બાળકો દ્વારા સૂર્યનમસ્કાર પણ કરવામાં આવ્યા. આ દ્વારા શરીરમાં શક્તિનું સિંચન કરે છે તેથી સૂર્યની પૂજા આપણે વર્ષોથી કરીએ છીએ આપણને તેનાથી ઘણાં લાભ થાય છે. મકરસંક્રાંતિ તલ અને ગોળનો ઉત્સવ છે જેમ તલ અને ગોળ એકબીજામાં ભળી જાય છે તેવી જ રીતે આપણે પણ એકબીજામાં ભળીને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાર્થક કરવાનો છે. આપણે સાથે મળીને આગળ વધવાનું છે.
મહોત્સવના અન્ય આકર્ષણો

આ મહોત્સવમાં 31 દેશોમાંથી 114 પતંગબાજો હાજર રહ્યા હતાં. સમગ્ર દેશમાંથી 150 અને રાજ્યના 350 લોકો સાથે મળી 400થી વધુ પતંગબાજો પોતોનું કરતબ બતાવ્યું હતું. આખા રાજ્યમાં કુલ 14 જગ્યાએ પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સાત દિવસ ચાલનારા આ મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં મુખ્યત્વે ગુજરાત પ્રવાસી સ્થળો પર થીમ પેવેલિયન, કાઈટ મેકિંગ વર્કશોપ, એડવેન્ચર એક્ટિવીટિઝ, 360 VR ડિસપ્લે, ક્રાફ્ટ બજાર તથા ફૂટ સ્ટોલ રાખવામાં આવશે.

Friday, January 6, 2017

ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17મી જાન્યુઆરીથી - ઇટલી, જર્મની અને અમેરિકર લાઇટથી શોભી ઉઠ્યું ખોડલધામ

રાજકોટ : ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ લાખો લોકો માણી શકે તે માટે અલગ અલગ સ્થળ પર 125 જેટલી એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકવામાં આવનાર છે અને મહોત્સવમાં સાંજ ઢળ્યા પછી પણ મંદિર પરિસર ઝળહળતું રહે તેવી આધુનિક લાઇટિંગ સિસ્ટમ ફિટ કરી દેવામાં આવી છે. ઇટલી, જર્મની અને અમેરિકાથી ખાસ લાઇટો મંગાવી ખોડલધામ મંદિર અને પરિસરમાં ગોઠવવામાં આવી છે. આ લાઇટિંગથી મંદિર ઝળહળી ઉઠ્યું છે.

 
લાઇટિંગ માટે 40 મોટા અને 260 નાના સિંગલ ટાવર મૂકવામાં આવ્યા છે.

ઇલેક્ટ્રિક, સાઉન્ડ અને લાઇટ સમિતિના શિવલાલભાઇ બારસિયાએ જણાવ્યું હતું કે, લાખો લોકો કાર્યક્રમ માણી શકે તે માટે 100 બાય 15 ફૂટની બે, 20 બાય 10 ફૂટની 100 અને અન્ય 23 મળીને 125 એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકવામાં અાવશે. એલ.ઇ.ડી. સ્ક્રીનમાં લાઇવ પ્રસારણ થશે. ખોડલધામ મંદિર પરિસરના દરેક ખૂણેથી કાર્યક્રમ માણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ એલઇડી સ્ક્રીનનું માપ કાઢો તો પાંચ હજાર ચોરસ ફૂટ થાય! લાઇટિંગ માટે 40 મોટા અને 260 નાના સિંગલ ટાવર મૂકવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં વાવેલા વૃક્ષોને પણ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે.
6 મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવશે
 
લાઇટ માટે ચારેય દિશામાંથી 1600 કે.વી.ના 14 વીજ કનેકશન લેવામાં આવ્યા છે. ઉપરાંત આપાત્તકાલિન સ્થિતિ માટે 10 મોટો જનરેટર પણ રાખવામાં આવશે. નેશનલ હાઇવેથી 11 કિલોમીટર અંદર કાગવડ ગામ હોવાથી મોબાઇલ કવરેજ મળવામાં હાલમાં તકલીફ પડી રહી છે. પ્રાણપ્રતિષ્ઠા સમયે મોબાઇલ કવરેજની અગવડ ન પડે તે માટે 6 મોબાઇલ ટાવર ઊભા કરવામાં આવશે.

2.50 લાખ વોટની શક્તિશાળી અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાઉન્ડ સિસ્ટમ સમિતિના મિતુલભાઇ દોંગાએ જણાવ્યું હતું કે, પાંચ દિવસના મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમ માટે અત્યાધુનિક કક્ષાની જેબીએલ 4889 મોડેલની 2.50 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ મૂકવામાં આવશે. મહોત્સવની સ્પીકરના 8 ટાવર ઊભા કરવામાં આવશે. જેમાં એક ટાવર પર 6 સ્પીકર હશે. ઉપરાંત ડોમમાં એમએચ, 3 ડબલ્યુ એવાય મોડેલના 32 સ્પીકરના 4 ટાવર ઊભા કરવામાંં આવશે. પાર્કિંગ તથા જાહેર રસ્તા પર સભા સ્થળનો લાઇવ અવાજ સંભળાતો રહે તે માટે પણ સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં અાવશે. 
  

અમદાવાદ અને મુંબઇની કન્સલટન્ટની નિમણૂંક કરાઇ હતી

ખોડલધામ મંદિરમાં અત્યાધુનિક લાઇટ ફીટ કરવામાં આવી છે. મંદિરમાં કલાત્કમ કૃતિ રાત્રી સમયે પણ દીપી ઊઠે તે માટે લાઇટને યોગ્ય જગ્યાએ ફીટ થવી જરૂરી હોય છે. આ કામ કરવા માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ અને મુંબઇની કન્સલટન્ટની નિમણૂંક કરવામાં આવી હતી. કન્સલટન્ટની 6 લોકોની ટીમ અને ખોડલધામના 40 સ્વયંસેવકોએ લાઇટ ફીટિંગનું કામ કર્યું છે.

જાજરમાન પાટનગરનો વાઇબ્રન્ટ ઝગમગાટ: સમગ્ર ગાંધીનગરની સિકલ જ બદલાઇ ગઇ

ગાંધીનગર : પાટનગરનાં પ્રાંગણે યોજાઇ રહેલા વાઇબ્રન્ટ મહોત્સવને લઇને શહેરની સિકલ બદલાઇ રહી છે. શહેરનાં માર્ગોથી માંડીને મહાત્મા મંદિર સુધી સજાવટનાં પગલે શહેર વાઇબ્રન્ટમય બની ગયુ છે. મહાત્મા મંદિર, મેગા એક્ઝીબીશન સેન્ટર તથા વીઆઇપી રૂટમાં હજારોની સંખ્યામાં લોકો કામ કરી રહ્યા છે. શહેરનાં માર્ગો તથા સર્કલોની સફાઇને અને રંગ રોગાન બાદ રોશનીથી ઝગમગતા કરાયા  છે. તો સુરક્ષાની જવાબદારી સંભાળતી પોલીસ તથા એસઆરપી જવાનોને ફરજ સ્થળો પર ગોઠવવામાં આવી રહ્યા છે. વાઇબ્રન્ટ ટાણાનો પાટનગરનો માહોલ આંગતુકોને તો ઠીક ગાંધીનગરવાસીઓને પણ મોહી રહ્યો છે.
 
 
સજાવટ : રોશનીથી સર્કલો-માર્ગો ઝગમગ્યા

 વાઇબન્ટ સમિટનાં પગલે શહેરનાં માર્ગો પર એલઇડી લાઇટોની સંખ્યા વધારી દેવા સાથે સાથે સીરીઝો લગાવીને રોશની કરવામાં આવી રહી છે. જયારે જુદા જુદા સર્કલોને પણ કલર ચેન્જીંગ લાઇટ્સથી ઝગમગતા કરી દેવાયા છે. જેના કારણે પાટનગરનો રાત્રીનો નજારો રોશન બન્યો છે. વોટ્સએપ તથા ફેસબુક પર ગાંધીનગરની રોશનીની તસ્વીરોને ધરાઇને લાઇક્સ મળી રહી છે.
ફુડ પેકેટ્સ પહોચાડવા 6 ટીમો બની

વાઇબ્રન્ટ સમિટ દરમિયાન હોમ ગાર્ડ તથા ટ્રાફિક પોલીસથી માંડીને એપીએસ કક્ષાનાં 5 હજાર જેટલા પોલીસ જવાનો નિયત સ્થળો પર તૈનાત રહેશે. ત્યારે ડ્યુટીનાં સ્થળ પર જ સમયસર ભોજન પહોચાવડાવા માટે 6 ટીમો પોલીસ દ્વારા બનાવવામાં આવી છે. જયારે મેનુમાં 2 શાક, રોટલી, દાળ-ભાત, મિઠાઇ તથા પાણીની બોટલ આપવામાં આવશે. ગત સમિટમાં સમયસર ફુડ પેકેટ્સ ન મળતા પોલીસ જવાનો ગલ્લાઓ પરથી બિસ્કીટ્સ તથા ચવાણા ખરીદીને ખાતા જોવા મળ્યા હતા.

Thursday, January 5, 2017

આણંદના જીટોડિયા ગામમાં આવેલ શિવલિંગનું 1000 વર્ષ જુનું રહસ્ય અકબંધ, શિવલિંગમાંથી નીકળે છે પાણી

આણંદથી ૩ કિલોમીટર દુર આવેલા જીટોડિયા ગામના વૈજનાથ મહાદેવ મંદિરમાં હજારો વર્ષોથી એક રહસ્ય છુપાયેલું છે. આ મંદિરમાં આવેલા શિવલિંગમાંથી પાણી નીકળે છે અને આ પાણી કેવી રીતે નીકળે છે એ રહસ્યનો વિષય બની ગયું છે. આ મંદિર વિષે એવું કહેવાય છે કે જ્યારે ભીમે રાક્ષસી હિડંબા સાથે લગ્ન કર્યા ત્યાર પછી તે અહીંયા રોકાયો હતો અને તે શિવ ભક્તિ માટે આ શિવલિંગની પૂજા કરતો હતો. સમય વીતતાં કુદરતી આફતોને કારણે આ શિવલિંગ જમીનમાં દટાઈ ગયું હતું અને વર્ષો સુધી જમીનમાં દટાયેલું રહ્યું હતું.
શિવલિંગ પર 25 જેટલા છિદ્રો છે જેમાંથી ગંગા જેવું પવિત્ર જળ નીકળ્યાં જ કરે છે


ખોદકામ કરતાં જમીનમાંથી મળી આવ્યું હતું શિવલિંગ

ઇ.સ. 1212માં ગુજરાતમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. આ ગામના એક ગોવાળિયાની ગાય વાંરવાર આ સ્થળે દૂધ જરી દેતી હતી અને આ જગ્યાએ ગોવાળિયાઓએ ખોદકામ કર્યું હતું. ખોદકામ કરતાં જમીનમાંથી આ શિવલિંગ મળી આવ્યું હતું અને જેમાં ઘા વાગવાથી ખંડિત થયું હતું. જ્યારે શિવલિંગ બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેમાં પડેલા છિદ્રોમાંથી પાણી નીકળતાં લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા અને સિદ્ધરાજ જયસિંહ સુધી આ વાત પહોંચી અને સિદ્ધરાજ જયસિંહે મંદિરનો જીણોધાર કરાવ્યો હતો અને શિવલિંગનું મંદીરમાં સ્થાપન કર્યું હતું.

અધિકારીઓ પણ આ ચમત્કારને સમજી શક્ય ન હતા

મોઘલોના શાસન દરમિયાન હુમલામાં આ મંદિરને નુકસાન કરવામાં આવ્યું હતું પરંતુ શિવલિંગમાંથી નીકળતું પાણી ચાલુ જ રહ્યું હતું. આ ઘટના પછી સદીઓ વીતી ગઈ અને 1913માં બ્રિટીશ સરકારના ખેડા કલેક્ટરે ભૂસ્તર વિભાગને આ રહસ્ય સમજવાની જવાબદારી સોંપી હતી પણ તે અધિકારીઓ પણ આ ચમત્કારને સમજી શક્ય ન હતા.



Wednesday, January 4, 2017

પંચમહોત્સવનો ચોથો દિવસ: જન મેદનીએ ઉમળકાભેર રંગારંગ કાર્યક્રમ માણ્યો

હાલોલ : ગુજરાત પ્રવાસન નિગમ  લી. ના સહયોગથી પંચમહાલ  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાતળાવ ખાતે આયોજિત કરવામાં આવેલ પંચ મહોત્સવમાં ભારે જનમેદની ઉમળકાભેર ઉમટી  પડી હતી. પંચમહોત્સવના ચોથા દિવસે  ભારે જનમેદની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉમટી પડી હતી. ક્રાફટ બજાર, ફ્રુડ બજાર, આર્ટ ગેલેરી, એડવેન્ચર સ્પોર્ટસ, એમ્યુઝમેન્ટ  પાર્ક વગેરેમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.  ત્રણે પેવેલીયનોમાં હૈયે હૈયુ દબાય તેવી ભારે ભીડ લોકોની હતી.

મોટીસંખ્યામાં માનવ મેદની ઉપસ્થિત રહી

સાંજની સાંસ્કૃતિક સંધ્યામાં  શ્યામલ  શેઠ અને સિધ્ધાર્થ મહાદેવને પોતાની કલાથી ઉપસ્થિત જનસમૂહને  ડોલાવ્યા હતાં.  ચોથા દિવસના પંચમહોત્સવમાં આશરે 20 હજાર ઉપરાંત મેદની ગોધરા, હાલોલ, કાલોલ, લુણાવાડા, મોરવા(હ), દે.બારીયા, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભરૂચ તથા સુરત સહિતના વિવિધ વિસ્તારોના મહાકાળી માતાજીને નમન કરનારા ભકતજનો અને માતાજી પ્રત્યે શ્રદ્ધ રાખનાર જીલ્લાના વતની તથા પરપ્રાંતિઓ મોટીસંખ્યામાં માનવ મેદની ઉપસ્થિત રહી હતી.

મહાનુભાવો અને આમંત્રિતો ઉપસ્થિત રહયાં

જિલ્લા પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઇ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેકટર ગોપાલભાઇ શેઠ, જિલ્લા ન્યાયાધિશ  એ .ડી. ઓઝા, જિલ્લા વિકાસ અધિકારી વિજયસિંહ વાઘેલા, વડોદરા વર્તુળના અધિક્ષક ઇજનેર એસ.સી.મોદી, વડા તળાવના સરપંચ, હાલોલ નગરપાલિકાના પ્રમુખ સહિત અનેક મહાનુભાવો અને આમંત્રિતો ઉપસ્થિત રહયાં હતાં.

Monday, January 2, 2017

અભાપુર ટેન્ટ સીટી ખાતે 5મી જાન્યુઆરીથી પોળોત્સવ - પોળોના જંગલ

હિંમતનગર, વિજયનગર: વિજયનગર તાલુકાના અભાપુર ટેન્ટ સીટી ખાતે 5મી જાન્યુઆરીથી પોળોત્સવ શરૂ થઇ રહ્યો છે. જેનો આરંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરાનાર હોઇ ટેન્ટ સીટી અને રિસોર્ટ ખાતે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાબરકાંઠાના મિનિ કાશ્મીર ગણાતા આ પોળોના જંગમાં પાકૃતિક અને ઐતિહાસિક વિરાસતનો ખજાનો હોઇ પ્રવાસીઅો મોટી સંખ્યામાં આવે છે. જેની જાણકારી વધુ લોકો સુધી પહોંચે તે માટે ગત વર્ષથી આ ઉત્સવની શરૂઅાત કરાઇ છે.


વિજયનગર તાલુકાના અંદ્રોખાથી વણજ ડેમ સુધી પથરાયેલી વનરાજી અને ઐતિહાસિક પુરાતત્વીય ધરોહર તથા સમૃધ્ધ શિલ્પ સ્થાપત્યથી દુનિયાને વાકેફ કરાવી ટૂરીઝમને પ્રોત્સાહન મળે તે હેતુસર પ્રતિ વર્ષ શિયાળામાં પોળોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે 5મી જાન્યુઆરીથી 5મી માર્ચ સુધી ચાલનારા પોળોત્સવમાં વધુને વધુ પ્રવાસીઓ આવે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 5મી જાન્યુઆરીએ પોળોત્સવના પ્રારંભ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભા સ્પીકર રમણલાલ વોરા, પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા, કલેકટર પી.સ્વરૂપ, ડીડીઓ હર્ષ વ્યાસ સહિત અધિકારીઓ હાજર રહેનાર છે.


ઉત્સવના આકર્ષણો

પોળોમાં ટેન્ટસિટી, રિસોર્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, એડવેન્ચર એકટીવીટી, રેલ રોડ, ક્રોસ લોગ, હેંગીંગ હેઝ, ઝીગ-ઝેગ બોર્ડ વોક, એક્રોસ વૂડન ફૂટ પ્રીન્ટ વોક,  રોપ ટ્રાવર્ઝીંગ, બર્ડ વોકીંગ સહિતની સુવિધાઓ પ્રાપ્ત કરાવાઇ છે.  

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies