Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Thursday, December 15, 2016

ગુજરાતની આવી તસવીરો તમે ભાગ્યે જ જોઇ હશે, છાતી 56ની થઇ જશે!


ગુજરાત હવે બોલિવૂડ માટે ઘર આંગણું બનતું જાય છે, ફિલ્મ્સના લોકેશન માટે રાજ્યમાં વધુને વધુ ફિલ્મ મેકર આવી રહ્યા છે. તાજેતરમાં જ શાહરૂખખાનની ફિલ્મ ‘રઇસ’નું શૂટિંગ અમદાવાદમાં થયું. ‘રઇસ’ની જેમ જ ‘મોંહે-જો-દરો’, ‘પીકુ’નું શૂટિંગ પણ ગુજરાતમાં જ થયેલું છે. ગુજરાતમાં સારા ફિલ્મ લોકેશનનો લોકો સમક્ષ રજૂ કરવા મુવિંગ પિક્સલ્સ કંપની ડિરેક્ટર મનિષ બારડીયાએ એક ચાર મિનિટનું એક ગીત તૈયાર કર્યું હતું. આ ગીતમાં ગુજરાતના જાણીતા સ્થળોને ફિલ્મના શૂટિંગના લોકેશનની નજરે રજૂ કરવામાં આવ્યા છે. મનિષ બારડીયાએ આ અંગે જણાવ્યું હતું કે,  'સિનેમેટીક ટુરિઝમ કોન્ફરન્સ માટે એક એડ બનાવવામાં આવી હતી તેનું જ અપડેટેડ વર્ઝન છે આ. અમે વિચાર્યું કે ગુજરાતના આ સ્થળોને ફિલ્મ મેકર્સને ગમી જાય તે દ્રષ્ટીએ રજૂ કરીએ અને એ માટે અમે દરેક સ્થળને અલગ અંદાજમાં રજૂ કર્યું છે.'  


 
‘હમ દિલ દે ચુકે સનમ’ બોલિવૂડનું ધ્યાન વધુ ખેંચાયું

બોલિવૂડ ગુજરાત પર પસંદગીના ઢોળાઇ રહેલા કળશ પાછળ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિ, મળતાવડા લોકો, સસ્તી મજૂરી અને મનભાવન લોકેશનને કારણભૂત ગણાવે છે.  ગુજરાત તરફ બોલિવૂડનું વધુ ધ્યાન 1999માં આવેલી સલમાન-ઐશ્વર્યાની ‘હમ દિ


ગુજરાતમાં શૂટિંગ માટે જાણીતા સ્થળો

ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે સાપુતારા, ચાંપાનેર, માંડવી બીજ-ભૂજ, ગોપનાથ બીચ-ભાવનગર, સોમનાથ, દ્વારકા, અડાલજની વાવ, મોઢેરા સૂર્ય મંદિર, સરખેજ રોઝા, જૂનાગઢ, લખપત, કચ્છનું મોટું અને નાનું રણ, નર્મદા, પોલોના જંગલ, બાલારામ પેલેસ, દરબારગઢ પોશીના, ખિરસરા પેલેસ-રાજકોટ, ગોંડલ પેલેસ, વિજય વિલાસ પેલેસ-માંડવી, લક્ષ્મી વિલાસ પેલેસ-વડોદરા, રાજવંત પેલેસ-રાજપીપળા સહિતના સ્થળો બહુ જાણીતા છે. 


જાન્યુઆરી 2014થી ગુજરાત સરકારે ફિલ્મ શૂટિંગ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સની સગવડ કરી આપી છે. ત્યારથી 70થી વધુ હિન્દી, દક્ષિણની ફિલ્મનું શૂટિંગ થયું છે. જ્યારે 50થી વધુ ભોજપુરી ફિલ્મનું શૂટિંગ થયું છે.

આમિરખારની ‘લગાન’માં પણ કચ્છની ધરતી પર ફિલ્માવેલી હતી. માત્ર હિન્દી ફિલ્મ્સ જ નહીં પણ દક્ષિણના ફિલ્મ મેકર પણ ગુજરાત તરફ વળી રહ્યા છે. મલયાલમ ફિલ્મ Ayaal Njanalla નું શૂટિંગ પણ ગુજરાતમાં થયું છે. મહેશબાબુની ફિલ્મ Dookudu માં કચ્છનું રણ દેખાશે. પાકિસ્તાની ફિલ્મ મેકર મેહરીન જબ્બારની ફિલ્મ રામચંદ પાકિસ્તાનીનું શૂટિંગ પણ કચ્છમાં થયું હતું.


Wednesday, December 14, 2016

સુરતની અજીબો-ગરીબ ઘટનાઃ મધરાતે રોડ પર સર્જાય છે સફેદ ફીણની ચાદર

સુરત:કતારગામ ગજેરા સર્કલ નજીકના રોડ મધરાત થતાં જ સફેદ ચાદરમાં બદલાઇ જવાની અજીબો-ગરીબ ઘટનાએ સૌ કોઇને ચોંકાવી નાખ્યા છે. છેલ્લા 10 દિવસથી રોડ ઉપરની ગટર લાઇનમાંથી નીકળતા સફેદ ફીણને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પાલિકાના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા

ગટરમાંથી સફેદ ફીણ નીકળવા બાબતે પાલિકાના અધિકારીઓને પણ પ્રાથમિક તપાસમાં કશું પણ બહાર ન આવતા આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. એક કિલોમીટરના રહેણાંક વિસ્તારમાં ચાલતી કોઇ ગેરકાયદે પ્રવૃતિને લઇ ગટરમાંથી સફેદ ફીણ બહાર આવી રહ્યું હોવાની લોકોમાં ચર્ચાઓ ઉઠી રહી છે.

10 દિવસથી નીકળતા સફેદ ફીણથી લોકો પરેશાન


સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રાત્રીના એક વાગ્યા બાદ જ ગટરમાંથી કેમિકલયુક્ત સફેદ ફીણ રોડ ઉપર આવેલી ગટરમાંથી બહાર આવી રહ્યું છે. આ એક અજીબો-ગરીબ ઘટના છે. લગભગ એક કિલોમીટરના વિસ્તારમાં મોટાભાગની સોસાયટીઓ આવેલી છે. રહેણાંક વિસ્તારમાં કોઇ ગેરકાયદે પ્રવૃતિ ચલાવતા હોય અને તેમાં વપરાતા કેમિકલમાંથી નીકળતા સફેદ ફીણને ગટરમાં નાખતા હોય એવું પણ અનુમાન કરાઇ રહ્યું છે. છેલ્લા 10 દિવસથી નીકળતા આ ફીણની દુર્ગંધને લઇ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પોલીસ અને પાલિકાના અધિકારીઓ રોજ રાત પડેને આવે છે અને જોઇને જતાં રહેતા હોવાનું લોકોએ જણાવ્યું હતું. 

દિવસમાં બે-વાર અરબસાગરમાં ગાયબ થાય છે આ મંદિર, શિવપુત્રે કર્યું'તું નિર્માણ!

દિવસમાં બે-વાર અરબસાગરમાં ગાયબ થાય છે આ મંદિર, શિવપુત્રે કર્યું'તું નિર્માણ!

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભારતનું સૌથી રહસ્યમય મંદિર છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરને અદ્રશ્ય થનાર મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરને અદ્રશ્ય થતું મંદિર કહેવા પાછળ એક અનોખી ઘટના છે. તે ઘટના વર્ષમાં ઘણીવાર જોવા મળે છે, જેના કારણે આ મંદિર પોતાનામાં જ ખૂબ ખાસ છે.


ક્યાં છે આ અનોખું મંદિરઃ-

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી લગભગ 60 કિમીના અંતર પર સ્થિત કવિ કમ્બોઈ ગામમાં છે. આ મંદિર અરબ સાગરમાં ખંભાતની ખાડીના કિનારે સ્થિત છે. દરિયાની વચ્ચે સ્થિત હોવાને કારણે તેની સુંદરતાં જોવા લાગ્ય છે. દરિયાની વચ્ચે સ્થિત હોવાને કારણે આ મંદિરનું સૌંદર્ય વધે છે અને સાથે જ એક અનોખી ઘટના પણ જોવા મળે છે.


Tuesday, December 13, 2016

થોળ પક્ષી અભ્યારણમાં વિદેશી પક્ષીઓનો કલરવ - અમદાવાદને અડીને આવેલી છે આ રમણીય જગ્યા, વીકેન્ડમાં મજા કરાવી દેશે!

ઠંડીની શરૂઅાત થવાની સાથે જ નવેમ્બર થી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે રંગબેરંગી અનેક પક્ષીઓથી આયુષ તળાવ આહલાદક બન્યુ છે. ત્યારે 100 જાતના વિદેશી પક્ષીઓનું આગમન થઇ ગયું છે. જેમાં કુંજ, બતક, ફ્લેમિંગો, પેલીકેન, ગ્રે લેગગુસ, કોમનકુટ (ભગતડા), બ્રાહ્મણીડગ, હેરોનરી બર્ડ, કરકરા, સુરખાબ, કોમનક્રેન તેમજ અન્ય સ્થાનિક પક્ષીઓનું આગમન થઇ ગયું છે. 

અમદાવાદને અડીને આવેલી છે આ રમણીય જગ્યા, વીકેન્ડમાં મજા કરાવી દેશે!

અમદાવાદથી માત્ર 25 કિલોમીટર દૂરના અંતરે થોળ તળાવ આવેલું છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ અહીં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. જોકે, આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ પક્ષીઓ અહીં મહેમાન બન્યા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે.

150 જાતિઓના પક્ષીઓ

થોળ ગામ નજીક એક તળાવ આવેલું છે. 1912માં ગાયકવાડ શાસન દરમિયાન સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે આ તળાવ બંધાવવામાં આવ્યું હતું. 1988માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 150 જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં 60 ટકા પાણીના પક્ષીઓ છે. ખાસ કરીને સુરખાબ અને સારસ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

શિયાળામાં પ્રેમી પંખીડાઓમાં ફેવરિટ

શિયાળા દરમિયાન અહીં પ્રેમી પંખીડાઓ ખાસ ફરવા આવે છે અને સાથે વિદેશી પક્ષીઓ પણ અહીં પડાવ નાંખે છે. વિદેશી પક્ષીઓને જોવા અને તેમનો મીઠો કલરવ સાંભળવા આવતા પ્રવાસીઓ પણ અહીં આવીને રોમેન્ટિક બની જાય છે અને કેમેરામાં પક્ષીઓને ક્લિક કરવાની સાથે પોતાની મીઠી યાદોના સંભારણાને પણ દિલમાં કંડારી લે છે.

નવું નજરાણું: સમગ્ર દેશમાં ન હોય એવો એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક સુરતમાં

સુરત પાલિકાએ મગોબ ખાતે લોકભાગીદારીથી એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક બનાવ્યો છે. વોટરપાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્કથી શહેરીજનોને હરવા ફરવા માટેનું નવલું નજરાણું શહેરમાં જ મળી રહેવાનું છે. જ્યારે આ એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક અને તેમાં રહેલી 23 જેટલી રાઇડ પૈકી કેટલીક રાઇડનો સમગ્ર દેશમાં ક્યાંય ન હોવાનો દાવો કરાઇ રહ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મૂકાશે ખુલ્લો

એમ્યુઝમેન્ટ પાર્ક અને વોટર પાર્કની મજા માણવા મોટાભાગના લોકો લોનાવાલા સુધી જતા હોય છે. કારણ કે શહેરમાં તેવી સુવિધા ન હોવાના કારણે પાલિકાએ લોકભાગીદારીથી મગોબ ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક કમ વોટર પાર્ક બનાવ્યો છે. જેનું ઉદ્ધાટન 15 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

તમામ રાઇડથી માંડીને મોટાભાગની સામગ્રી વિદેશથી મંગાવાઇ
 
એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક વિકસાવવા માટે 15 એકર જમીનની ફાળવણી થઇ હતી. જેમાં એમ્યુઝમેન્ટ કમ વોટરવાર્ક ઇન્ટરનેશનલ કક્ષાનો બનાવાયો છે. વોટરપાર્કમાં ઉભી કરાયેલી તમામ રાઇડથી માંડીને મોટાભાગની સામગ્રી વિદેશથી મંગાવાઇ છે. તેમજ વિદેશમાં જે રીતે વોટર પાર્ક હોય તે પ્રમાણેની થીમ પર સમગ્ર વોટરપાર્ક બનાવાયો છે. જેથી તેનું લોકાર્પણ થયા બાદ લોકો વોટરપાર્કમાં જતા વિદેશમાં હોય તેવો અનુભવ થવાની પુરેપુરી શક્યતા રહેલી છે.

સમગ્ર દેશમાં આવો વોટર પાર્ક ન હોવાનો દાવો

મગોબના વોટર પાર્ક અને તેમાં રહેલી 23 જેટલી રાઇડ પૈકી કેટલીક રાઇડનો સમગ્ર દેશમાં ક્યાંય ન હોવાનો દાવો કરાઇ રહ્યો છે. કારણ કે આ રાઇડમાં વાપરવામાં આવેલા બોલ્ટ સહિતનો સામાન વિદેશથી મંગાવાયો છે. આ પ્રમાણેનો વોટર પાર્ક ડિઝની લેન્ડ, બર્લિન જેવા શહેરોમાં હોય તે પ્રમાણેની રાઇડ તૈયાર કરાઇ છે. જેથી ફરવા આવનાર લોકોને સુરક્ષાથી માંડીને આનંદ કરી શકે તે માટેના તમામ પ્રયાસ કરાયા હોવાનો પણ દાવો કરાય રહ્યો છે.

એક દિવસમાં 2500 લોકો મજા માણી શકશે

આયોજકોએ 2500 ટિકીટ આપી દેવામાં આવ્યા બાદ પ્રવેશ નહીં આપવાનુ નક્કી કર્યુ છે. કારણ કે વધારે પ્રવેશ અપાય તો લોકો વોટરપાર્કની મજા માણી શકે તેમ ન હોવાથી 2500 વ્યક્તિઓ પછી પ્રવેશ નહીં આપવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે.

વિદેશની થીમ પર વોટરપાર્કનું આયોજન

  1. 15 એકર જમીનનો ઉપયોગ
  2. 2500 સહેલાણીઓ રોજ મજા માણી શકશે
  3. 1500 રૂ. સુધીનો દર વ્યક્તિ દીઠ

ગુજરાતમાં છે દેશનું સૌથી મોટું લોન્ડ્રી યુનિટ: જાણો, કેવી રીતે થાય છે કામ

ફિલ્મોમાં કે રીયલમાં તમે ધોબીઘાટ તો જોયો જ હશે, આ ઉપરાંત ઘરે આવીને કપડાને પ્રેસ કરવા તેમજ ધોવા માટે લઇ જતા લોન્ડ્રીબોયથી પણ પરિચિત હશો, રેલવેમાં જ્યારે લાંબા અંતરની મુસાફરી કરવાનું થયુ હશે ત્યારે રેલવે તરફથી આપવામાં આવતી ચાદર, નેપકિન અને બેડશિટ સર્વિસથી પણ આજે કોઇ અજાણ નહીં હોય. રેલવેની પ્રિમિયન કહેવાતી ટ્રેનમાં જ્યારે લાંબા અંતરની મુસાફરી શરૂ ત્યારે સફર દરમિયાન રેલવે તંત્ર તરફથી મુસાફરોને ક્લોથ સેટ આપવામાં આવે છે. જેમાં એક નેપકિન, બેડશીટ અને ચાદરનો સેટ હોય છે. જેટલા વ્યક્તિઓના નામ ટિકિટમાં હોય છે તે સિવાઇ એક એક્સટ્રા સેટ પણ આપવામાં આવે છે.
ટ્રેનમાં સફાઇને લઇને હવે રેલતંત્ર સક્રિય થયુ છે તે સાથોસાથ કોચમાં આપવામાં આવતા ક્લોથ સેટ પણ નીટ એન્ડ ક્લિન જોવા મળશે, ચોખ્ખાઇ સાથે ચૂનાના પથ્થરને પણ ટક્કર મારે એવી સફેદ ચાદર અને નેપકિન મુસાફરોને આપવામાં આવે છે. ટ્રેનમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે એક સવાલ થાય કે આ બધા સેટ ધોવાતા ક્યારે હશે, ક્યારે ઇસ્ત્રી થઇને પેકિંગ થતુ હશે, આ તમામ સવાલના જવાબ છે દેશના સૌથી મોટા લોન્ડ્રી યુનિટ પાસે. અમદાવાદના સરસપુરમાં આવેલું રેલવે લોન્ડ્રી યુનિટ આ તમામ કામગીરી કરે છે. જ્યાં રોજના 17000 કપડા ધોવામાં આવે છે. એટલે કુલ 16 ટન કપડાનો ધોબ નીકળે છે. ક્લોથના સેટને આપના સુધી પહોંચાડવાથી લઇને ગંદા તથા વપરાયેલા ક્લોથને ધોવાથી ઇસ્ત્રી કરવા સુધી.

વિશ્વમાં ગુંજે છે ગુજરાતના આ આદર્શ ગામનું નામ, આધુનકતાથી છે ભરપૂર

ગ્રામપંચાયતોની ચૂંટણીઓનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. ગામડાઓમાં પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. આજે ગામડાનો વ્યક્તિ પણ ટેક્નોલોજીના લીધે સજાગ અને હોશિયાર થઇ ગયો છે. ઇન્ટરનેટ અને મોબાઇલ ક્રાંતિએ વિકાસમાં અગાથ ફાળો આપ્યો છે. આજે ગુજરાત સહિત દેશભરમાં એવા અનેક ગામોને છે જે સતત વિકાસરૂપી હરણફાળ ભરી રહ્યાં છે. પણ ડીજીટલ-આદર્શ ગામ સાંભળતા જ તમામના મનમાં એક જ નામ આવે ‘પુંસરી' ગામ. ત્યારે વિકાસને લઇને આજે વિશ્વફલક પર ડંકો વગાડનાર પુંસરી ગામથી કોઇ અજાણ નથી.

આદર્શ ગામ બનાવવામાં પુંસરીના સરપંચની મહત્વની ભૂમિકા
પુંસરીને એક આદર્શ ગામ બનાવવામાં પુંસરીના સરપંચની મહત્વની ભૂમિકા છે. સરપંચ તરીકે 2 ઇનિંગ રમી ચૂકેલા હિંમાશુ પટેલે 10 વર્ષમાં અનેક સમસ્યામાંથી પ્રેરણા લઈ પોતાના ગામને આદર્શ બનાવ્યુ છે. ગુજરાતના પુંસરી ગામની મુલાકાતે માત્ર દેશ નહીં પણ વિદેશના અનેક પ્રતિનિધી મંડળો આવે છે. હાલ ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને ચાલી રહેલા માહોલ વચ્ચે વર્ષ 2006થી પુંસરી ગામના સરપંચ તરીકે રહેલા હિમાશુ પટેલે આ જવાબદારીમાંથી મુક્ત થતા હોવાનું પોતાના ફેસબુક પર જણાવ્યું છે. ત્યારે દિવ્યભાસ્કર.કોમ દ્વારા તેમનો ખાસ ઇન્ટરવ્યું કર્યો હતો જેમાં કેટલીક રસપ્રદ વાતો જાણવા મળી હતી.










Thursday, December 8, 2016

ગુજરાતનું આ મંદિર 5 હજાર વર્ષ પહેલાં શ્રીકૃષ્ણએ બનાવેલુ, જુઓ અૈતિહાસિક નજારો

સૌથી વધુ પ્રાચીન સ્મારક કે ભવન હોય તો તે જામજોધપુર તાલુકામાં આવેલું ગોપનું મંદિર છે. આ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર ગણાય છે. આ મંદિરના કાળ અને દેવતા બાબતે હજુ પણ વિદ્વાનો એકસૂર નથી. કેટલાક તેને રામ-લક્ષ્મણનું તો કોઇ સૂર્ય મંદિર હોવાનું ગણાવે છે. એક ઐતિહાસિક માન્યતા મુજબ મંદિરમાં વિષ્ણુ-સ્કંદની મૂર્તિઓની પૂજા થતી હોવાનું માને છે.

મંદિરની બાંધણી અને સ્થાપત્ય કળા ઉપરથી તેમાં સિંધના મિરપુર ખાસની અસર દેખાય છે. ડો. આર.એન. મહેતા અને ડો. હસમુખ સાંકળિયાના મતે આ મંદિર પાંચમી સદીનુ હોવાની શક્યતા છે, કારણ કે મિરપુર ખાસના સ્તૂપને સરખાવવામાં આવે તો તેનો સમયગાળો ગોપના મંદિરને બંધબેસતો આવે છે અને કોઇપણ સંજોગોમાં જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ પહેલાનો હોઇ શકે નહીં. બન્ને સ્મારકો ઉપર સેતા બારી, કોતરણી સમાન હોવા છતાં જૂનાગઢ ગોપ કરતા પહેલાનું ગણાય છે. ગોપના મંદિરે વૈદિક હેતુઓ ગુમાવી દીધા છે. વળી મંદિરની આજુબાજુમાંથી પોલીશ્ડ રેડ વેર(લાલ ઠીકરો) ઉપરથી મંદિર ક્ષત્રપ કાલન હોવાની માન્યતા દૃઢ બને છે.

Wednesday, December 7, 2016

Selfie with Shiva: સમુદ્રની લહેરો વચ્ચે 196 વર્ષથી અડીખમ છે આ શિવ મંદિર

અરબી સમુદ્રના કિનારે આવેલુ છે પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર. આ તીર્થધામ ભારતનું એક સુવિખ્યાત યાત્રાધામ તરીકે ઓળખાય છે. આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબજ અનોખો છે. કહેવાય છેકે. રાવણે આકરું તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા, જેના વરદાન સ્વરૂપ તેણે શંકર લિંગ પોતાની સાથે લંકા લઇ જાવ માગ્યું. ભગવાન શિવે વરદાન તો આપ્યુ પણ સાથે એ શરત મુકી કે, લંકા પહોચ્યા પહેલા જો આ લીંગ જમીન મુકાશે તો તેની પ્રતિષ્ઠા તેને ત્યાજ કરવી પડશે. વરદાન મળ્યા બાદ રાવણ શિવલીંગ લઇને લંકા તરફ નીકળી ગયો, બ્રહ્માજીએ નારાયણ સરોવર પાસે ખાડામાં ફસાયેએલી ગાયનું સ્વરૂપ લધું. ગાયને બચાવા જતા રાવણે શિવલીંગને જમીન પર મુકી દીધી. લિંગ જમીન પર મુકતા જ તેના 1 કરોડ લિંગ બની ગયા. રાવણ સાંચી લિંગના ઓળખી શકતા તેણે ત્યાજ શિવલીંગની પ્રતિષ્ઠા કરી જે આજે કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
આ પવિત્ર તીર્થધામે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. અને અહિના અદભૂત નજારાનો આનંદ ઉઠાવે છે. તો બીજી તરફ આ પ્રાચીન મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલુ હોવાથી ભક્તો દર્શનની સાથે સાથે સેલ્ફી પડાવતા પણ જોવા મળે છે.

કચ્છ રણોત્સવમાં સહેલાણીઓ માટે આવી હોય છે સુવિધાઓ, જાણો આ વખતે શું હશે ખાસ

કચ્છના ધોરડો ખાતે રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે ત્યારે દેશ-વિદેશમાંથી આવતા સહેલાણીઓને કચ્છની સંસ્કૃતિ અને કલા કારીગીરીને નિહાળવા આવતા હોય છે. આ વાતથી આપણે બધા જ જાણકાર છીએ કે ગુજરાતના ખુણે-ખુણે ભવ્ય ઇતિહાસ અને અદભૂત કારીગીરીનો ખજાનો છુપાયેલો છે. એવું જ તેમાનું એક કચ્છ છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કચ્છના ધોરડો ખાતે યોજાતો રણોત્સવ સહેલાણીઓને આકર્ષવામાં સફળ રહેતો હોય છે પરંતુ આ વર્ષે વરસાદી પાણી ન સુકાતા સફેદ રણનો નજારો તો માણી નહીં શકે અને સહેલાણીઓમાં નિરાશ જોવા મળતી હોય તેવું મનાઇ રહ્યું છે.

દેશ-વિદેશના સહેલાણીઓમાં ભારે આકર્ષણ ઉભું કરનાર રણોત્સવમાં દર વર્ષે ટેન્ટસીટી ઉભી કરવામાં આવે છે. આ ટેન્ટસીટીમાં આ આ વર્ષ પણ અંદાજીત 300 થી 350 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ ટેન્ટસીટીમાં અલગ-અલગ પ્રકારની ટેન્ટની સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે ડિલક્સ એસી સ્વિસ કોટેજ, નોન એસી સ્વિસ કોટેજ, પ્રીમિયમ ટેન્ટ, ઈકોનોમી ટેન્ટ વગેરે જેવા ટેન્ટની સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે જ પ્રથમ વખત ટેન્ટસિટીમાં ઈકોનોમી ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેના કારણે મધ્યમવર્ગના લોકો પણ આ રણોત્સવની મજા માણી શકે. તેમજ રણોત્સવમાં ક્રાફ્ટ બજાર પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ બજારમાં અલગ-અલગ ક્રાફ્ટ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં કચ્છના અલગ-અલગ ગામોના હસ્તકળાના કારીગરો પોતાની કારીગરી સહેલાણીઓ સમક્ષ રજૂ શકે છે.


Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies